ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સર્વે મુજબ હાલમાં જ સપ્ટેમ્બર ક્વાર્ટર પૂર્ણ થવા સુધીમાં વ્યાવસાયિક માહોલ વર્ષ 2008ના નાણાકીય સંકટ બાદથી સૌથી વધારે ખરાબ હતો. સર્વે વર્તમાન મંદીની ગંભીરતાને દર્શાવે છે. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં વિનિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના ઓર્ડર બુકિંગમાં પણ 23 ટકાનો ઘટાડો નોંધાયો.
સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં દેશમાં વ્યાવસાયિક માહોલ 2008ના નાણાકીય સંકટ બાદ સૌથી ખરાબ
વિનિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના ઓર્ડર બુકિંગમાં પણ 23 ટકાનો ઘટાડો
RBIએ ચાલૂ નાણાકીય વર્ષનો જીડીપી અનુમાન 6.9થી 6.1 કર્યો
આ ઘટાડો વર્ષ 2008ના નાણાકીય સંકટ બાદનો સૌથી મોટો ઘટાડો છે. આ કવાર્ટરમાં આર્થિક વિકાસ 5 ટકા પર પહોંચી ગયો જે ગત 6 વર્ષોમાં સૌથી નીચલા સ્તરે છે. તેને પગલે રિઝર્વ બેન્કને ચાલૂ નાણાકીય વર્ષના જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.1 ટકા કરવું પડ્યું છે. જ્યારે આરબીઆઇનું પાછલુ અનુમાન 6.9 ટકા હતું. આ ક્વાર્ટરમાં કેપેસિટી યૂટિલાઇઝેશન 73.6 ટકા પર આવી ગયું, જે ગત ક્વાર્ટરમાં 76.1 ટકા પર હતું. ઇન્ડસ્ટ્રિયલ આઉટલુક મુજબ, 'નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં ઉત્પાદનમાં અને રોજગારમાં મંદી હતી.'
જોકે, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આર્થિક મંદીને લઇને વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતાઓને ફગાવી કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી અર્થવ્યવસ્થા છે અને વૃદ્ધિમાં જોવા મળી રહેલો ઘટાડો વૈશ્વિક આર્થિક નરમીથી પ્રભાવિત છે.
એમણે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિય કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા છે અને તેના વિશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.' એમણે સરકારની આર્થિક નીતિઓની પ્રશંસા કરતા કહ્યું કે મોદી સરકાર અર્થવ્યવસ્થા પર બહારના પ્રભાવોની અસર સામે લડવા કામ કરી રહી છે.
જાવડેકરે કહ્યું કે રિઝર્વ બેન્કે રેપો રેટમાં સતત પાંચમી વાર ઘટાડો કર્યો છે. તેથી બેન્કોનું ઋણ સસ્તુ થશે. તેના કારણે વ્યાપાર અને ઉદ્યોગ જગતને ફાયદો પહોંચશે. એમણે કહ્યું કે, આ 24 કલાક કામ કરનારી સરકાર છે. સરકારે ગત ચાર મહીનામાં વ્યાપાર અને રોજગારને વધારવા અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે 110 નિર્ણય લીધા.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ સમય રોકાણ સૌથી પ્રમુખ છે. એમણે કહ્યું કે, 'ચીન હાલ આર્થિક નરમીથી પસાર થઇ રહ્યું છે. મોદી સરકારે રોકાણ આકર્ષિત કરવા માટે અવરોધને દૂર કરવા માટે નિર્ણય લીધા છે.' જાવડેકરે સંપર્ક વધુ સારા બનાવવાની જરૂરત પર જોર આપતા તેજસ એક્સપ્રેસનો ઉલ્લેખ કર્યો. આ ટ્રેનનું સંચાલન શુક્રવારે લખનઉથી શરૂ કરવામાં આવ્યું.