કોરોના મહામારીમાં અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBI વ્યાજદરમાં ફરી ઘટાડો કરી શકે છે. RBI ગવર્નરની અધ્યક્ષતામાં MPCની 4 ઓગસ્ટે બેઠક મળશે અને 6 ઓગસ્ટે આ મામલે જાહેરાત કરવામાં આવશે. RBI રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરી શકે છે. આ પહેલા પણ MPCની બેઠક માર્ચમાં મળી હતી. જેમાં નીતિગત રેપો રેટમાં કુલ 1.15 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.
RBI ફરી ઘટાડી શકે છે વ્યાજદર
4 ઓગસ્ટથી RBIની 3 દિવસીય બેઠક
રેપો રેટમાં 0.25 %નો થઇ શકે છે ઘટાડો
રિવર્સ રેપો રેટમાં 0.35 %નો થઇ શકે છે ઘટાડો
કોરોના મહામારીના પ્રકોપથી અર્થવ્યવસ્થાને થનારા નુકસાન અને લોકડાઉનની અસરને સીમિત કરવા માટે રિઝર્વ બેંક સતત પગલાં લઈ રહ્યું છે. એવામાં પહેલાં MPCની બેઠક માર્ચમાં અને મે મહિનમાં થઈ ચૂકી છે. તેમાં નીતિગત રેપો રેટમાં કુલ 1.15 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો.
વધી રહ્યો છે ફૂગાવો
ખાદ્ય વસ્તુઓની કિંમતમાં ભલે અત્યારે વધારો આવે, ખાસ કરીને માંસ, માછલી, અનાજ અને દાળના કારણે ગ્રાહકોના મૂલ્ય સૂચકાંક આધારિત છૂટક મોંઘવારી જૂનમાં વધીને 6.09 પહોંચી છે. રિઝર્વ બેંક પોતે કહી ચૂકી છે કે મોંઘવારીનો સુવિધાજનક સ્તર 4 ટકા જ છે. એટલે કે હવે મોંઘવારી રિઝર્વ બેંકની સુવિધાજનક સ્થિતિથી બહાર પહોંચી ચૂકી છે.
શા માટે છે આશા?
મળતી માહિતી અનુસાર રેપો રેટમામં 0.25 ટકા અને રિવર્સ રેપો રેટમાં 0.35 ટકા ઘટાડાની આશા રાખવામાં આવી રહી છે. છૂટક ફૂગાવો એમપીસીના લક્ષ્ય 2-6 ટકાને પાર કરી ચૂક્યો છે. ઓગસ્ટ 2020 સુધીમાં તેને ફરીથી પાછો લાવવાની આશા પણ રાખવામાં આવી રહી છે. આ રીતે પોતાનો મત વ્યક્ત કરતાં અન્ય એક માહિતી મળી છે કે 0.25 ટકાના ઘટાડાની સંભાવના છે તે દરને કાયમ પણ રાખી શકાય છે.