રિઝર્વ બેંકે નાગરિકોને ફ્રોડ લોકોથી સાવધ રહેવાની સલાહ આપી છે. રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલી ચેતવણીમાં કહેવાયુ છે કે, તેમના તરફથી ક્યારેય ફોન કોલ અથવા ઈમેલ દ્વારા ગ્રાહકોને સંપર્ક કરવામા આવતો નથી.
રિઝર્વ બેંકો લોકોને આપી ચેતવણી
ફ્રોડ કરનારા લોકોથી સાવધાન
આ પ્રકારની ઓફર્સમાં ભરમાશો નહીં
રિઝર્વ બેંકે નાગરિકોને ફ્રોડ લોકોથી સાવધ રહેવાની સલાહ આપી છે. રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલી ચેતવણીમાં કહેવાયુ છે કે, તેમના તરફથી ક્યારેય ફોન કોલ અથવા ઈમેલ દ્વારા ગ્રાહકોને સંપર્ક કરવામા આવતો નથી. સાથે જ ગ્રાહકો પાસેથી ક્યારેય પૈસાની માગણી અથવા તો, વ્યક્તિગત જાણકારી પણ કેન્દ્રીય બેંક દ્વારા માગવામાં આવતી નથી.
છેતરપીંડીના શિકાર થવા અને ભારે માત્રામાં પૈસાની ઉઠાંતરીના કેટલાય કેસો સામે આવ્યા બાદ રિઝર્વ બેંકે સંભવિત છેતરપીંડી માટે આ ચેતવણી આપી છે. ફ્રોડ પોતાના રિઝર્વ બેંકના કર્મચારી બતાવીને હાલમાં કેટલાય લોકોને શિકાર બનાવીને પૈસા પડાવી લેતા હોય છે.
RBIના કર્મચારી હોવાનું કહી રૂપિયાની માગણી કરે છે
એક નિવેદન જાહેર કરીને આરબીઆઈએ કહ્યું કે, કોઈ વ્યક્તિના પૈસા, વિદેશી મુદ્રા અથવા કોઈ અન્ય પ્રકારના ફંડની લાલચ રિઝર્વ બેંક આપતું નથી અને ન તો વ્યક્તિઓના ખાતા ખોલાવે છે. નિવેદનમાં કહેવાયું છે કે, રિઝર્વ બેંકના કર્મચારી ગણાવીને પૈસાની માગણી કરનારા લોકોથી સાવધાન રહેજો. છેતરપીંડી કરનારા લોકો તરફથી આવું કરવામાં આવી રહ્યું છે.
આવી રીતે થાય છે છેતરપીંડી
રિઝર્વ બેંકે કહ્યુ છે કે, ઈ-મેલ, એસએમએસ વગેરે માધ્યમથી છેતરપીંડી કરનારા લોકો આકર્ષક પ્રસ્તાવ મોકલે છે. તેમાં લોટરી જીતવાથી લઈને બીજી કેટલીય ઓફર્સ હોય છે. જે અંતર્ગત ફ્રોડ લોકો નકલી લેટરપેડ અથવા વેબસાઈટનો સહારો લેતા હોય છે. જોવામાં એકદમ રિઝર્વ બેંકનું જ લાગે. નકલી લેટરપેડ પર કથિત રીતે રિઝર્વ બેંકના અધિકારીના સહી સિક્કા પણ હોય છે. RBIનું કહેવુ છે કે, બની શકે છે કે, અધિકારીનું નામ સાચું પણ હોય, પણ તેમની સહીઓ નકલી હોય છે.
નાની રકમ પહેલા વસૂલ કરવામાં આવે છે
છેતરપિંડી કરનારા લોકોને મોટી રકમ મેળવવાના નામે એકાઉન્ટમાં પ્રોસેસિંગ ફી/ટ્રાન્ઝેક્શન ફી જેવી નાની રકમ જમા કરાવવાનું કહે છે. આવી ફી માટે અલગ-અલગ બેંક શાખાઓમાં વ્યક્તિઓ અથવા માલિકીની સંસ્થાઓના નામ પર બહુવિધ ખાતાઓ છે. આ ખાતાધારકોને અમુક કમિશન ચૂકવવાની લાલચ આપીને, છેતરપિંડી કરનારાઓ તેમના ખાતાનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરે છે.
છેતરપિંડીનો ભોગ બનેલા લોકો દ્વારા એકવાર રકમ જમા કરાવ્યા બાદ તેમની પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં આવે છે. જ્યારે આ ખાતાઓમાં મોટી રકમ જમા થાય છે, ત્યારે છેતરપિંડી કરનારાઓ ખાતામાંથી પૈસા ઉપાડી લે છે અથવા વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરે છે. ઘણા લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યા છે અને મોટી રકમ ગુમાવી ચૂક્યા છે.