ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલ મનભેદની વચ્ચે RBIનાં ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું છે. તેઓએ આની પાછળ વ્યક્તિગત કારણોને હવાલો આપ્યો છે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીય બેંકની સ્વાયત્તતા સહિત કેટલાંક મુદ્દાઓને લઇને સરકાર સાથે થયેલ મતભેદની ખબરો બાદ આ અટકળો લગાવવામાં આવી રહેલ છે કે તેઓ આ કારણોસર પદ છોડી શકે છે.
ઉર્જીત પટેલે કહ્યું કે 'ખાનગી કારણોસર મેં વર્તમાન પદ પરથી ત્વરિત પ્રભાવથી તેને છોડવાનો નિર્ણય કર્યો છે. વર્ષો સુધી રિઝર્વ બેંકમાં વિભિન્ન જવાબદારીઓ સાથે મને રિઝર્વ બેંકમાં સેવાનો મોકો મળશે. આ મારા માટે એક સમ્માનની વાત છે.' ઉર્જિત પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં ખતમ થવાનો હતો.
Urjit R. Patel: On account of personal reasons I have decided to step down from my current position (RBI Governor) effective immediately. It has been my privilege and honour to serve in the Reserve Bank of India in various capacities over the years (File pic) pic.twitter.com/PAxQIiQ3hV