ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગર્વનર N S વિશ્વનાથને સ્વાસ્થ્યનું કારણ આગળ ધરતાં રાજીનામું આપ્યું છે. તેમની નિવૃત્તિમાં હજી ત્રણ મહીનાનો સમય બાકી છે, પરંતુ તબિયતનું કારણ દર્શાવતાં વિશ્વનાથને પહેલા જ પદ છોડી દીધું છે.
RBI ના ગર્વનરે વિશ્વનાથને રાજીનામું આપ્યું
સ્વાસ્થ્યનું કારણ આગળ ધરતાં નિવૃત્તિના સમય કરતાં અગાઉ છોડ્યું પદ
દેશનો સતત ઘટી રહેલો GDP, બેંકોનું વિલિનીકરણ અને મોંઘવારી પર નિયંત્રણના પ્રયત્નોની વચ્ચે વિશ્વનાથનનું પદ છોડવું કેન્દ્રીય બેંક માટે એક મોટા ઝટકા સમાન છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ 31 માર્ચના રોજ વિશ્વનાથન કેન્દ્રીય બેંક RBI છોડી દેશે. વિશ્વનાથનના 4 દાયકાના લાંબા કેરિયરનો અંત આમ તો જૂનમાં થવાનો હતો, પરંતુ તેમણે ત્રણ મહિના પેલા જ પદ છોડી દીધું છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ હાલમાંજ તેમણે તણાવ સાથે જોડાયેલ સમસ્યા થઇ હતી, ત્યાર બાદ તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ એવો સમય છે કે, જ્યારે RBI ને મૉનિટરિંગ માટે તેમની સેવાઓની ઘણી જરૂરિયાત હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૂન 2019માં પણ RBI ના અન્ય ડેપ્યૂટી ગર્વનર વિરલ આચાર્યએ પદ છોડી દીધું હતું. એટલું જ નહીં પરંતુ પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે પણ ડિસેમ્બર, 2018માં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલને ગર્વનર રઘુરામ રાજન બાદ કેન્દ્રીય બેંકના અધ્યક્ષ (RBI President) તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.