RBIએ નાણાંકીય વર્ષમાં GDP ગ્રોથના અનુમાનને ઘટાડીને 6.1 ટકા કર્યો છે. રિઝર્વ બેંકે વર્ષ 2019માં સતત પાંચમી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. આશા રાખવામાં આવી રહી છે કે બેંક દિવાળી પહેલાં તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડશે. તેની સાથે જ રિવર્સ રેપો રેટ એટલે કે જે વ્યાજ બેંકને રિઝર્વ બેંકની પાસે ફંડ રાખવામાં મળે છે તેને પણ ઘટાડીને 4.90 ટકા કરી દેવામાં આવ્યું છે.
રિઝર્વ બેંકે ઘટાડ્યા GDPનો દર
જી઼ડીપી 6.9થી 6.1 ટકા કરવામાં આવ્યો
સતત પાંચમી વખત જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો થયો
GDP ગ્રોથમાં મોટા ઘટાડાનું અનુમાન
રિઝર્વ બેંકે હાલના નાણાંકીય વર્ષ માટે GDPના વધારાના અનુમાનને નકાર્યું છે. GDP 6.9થી 6.1 ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ઘરેલૂ અર્થવ્યવસ્થામાં સતત પાંચમી વખત GDP ગ્રોથ રેટમાં ઘટાડો થયો છે. આ વર્ષના પહેલાં 3 મહિનામાં GDP ગ્રોથ રેટ ફક્ત 5 ટકાનો રહ્યો હતો. પ્રાઈવેટ ફાઈનલ કંઝપ્શન એક્સપેંડીચર ઘટીને 18 તિમાહી બાદ નીચલા સ્તરે પહોંચ્યો છે. જો કે ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશનમાં પણ થોડો સુધાર જોવા મળ્યો છે.
RBIએ રેપો રેટમાં કર્યો 0.25 ટકાનો ઘટાડ્યો
તહેવારની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફથી એક મોટી ભેટ મળી છે. જો કે RBIની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં શુક્રવારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આ કમિટિ સુસ્ત અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રેપો રેટમાં એક વખત ફરી ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકની મોનિટરિંગ પોલીસી કમિટીની બેઠકમાં એક વાર ફરી રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. દિવાળી નિમિત્તે RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે EMI સસ્તી થશે.
કેટલો થયો ઘટાડો?
RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેનો લાભ તમામ પ્રકારના લેનારા ગ્રાહકો સુધી ઝડપથી પહોંચી શકશે. EMI સસ્તી થવાથી અનેક લોકોને ઘણો મોટો લાભ થશે.
કેટલો થઈ શકે છે ઘટાડો?
જાણકારોના આધારે આ વખતે 25થી 35 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. જો આવું થશે તો સતત પાંચમી વખત રેપો રેટમાં રાહત મળી શકે છે. આ વખતે રેપો રેટમાં ઘટાડો થવાનો ફાયદો ગ્રાહકોને તરત જ મળી શકે તેવી આશા રાખવામાં આવી છે. જો કે RBIએ દરેક બેંકની હોમ લોન, પર્સનલ લોન અને એમએસએમઈ સેકટરને દરેક નવા ફ્લોટિંગ રેટના લોનને રેપો દર સહિત અનેક બાહરી માનકોની સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે. તેનાથી રેપો રેટમાં ઘટાડાનો લાભલ લોન લેનારા ગ્રાહકો સુધી ઝડપથી પહોંચી શકશે.
અગાઉ પણ RBI ગર્વનર આપી ચૂક્યા છે સંકેત
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસ પહેલાંથી સંકેત આપી ચૂક્યા છે કે મોંધવારી દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રેપો રેટમાં ઘટાડાની આશા રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસો પહેલાં શક્તિકાંત દાસે કહ્યું કે કંપની ટેક્સમાં ઘટાડાની સાથે અનેક વસ્તુઓ પર જીએસટી રેટમાં ઘટાડાને જોઈને કેન્દ્ર સરકારને માટે ફેરફાર પણ સામેલ થઈ શકે છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે કેન્દ્રીય બેંક અર્થવ્યવસ્થામાં વિકાસ વધારવા રેપો રેટમાં રાહત આપવામાં આવે.
જાણો કેટલો થઈ શકે છે ઘટાડો?
કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. RBI દ્વારા રેપોરેટમાં ઘટાડો કરાતા લોકોને ઘણી રાહત મળી શકશે. RBIએ અગાઉ 35 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો પરંતુ આ વખતે 25 પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. આ વર્ષે RBI દ્વારા સતત ચાર વાર રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ રેપોરેટ 5.40 ટકા છે ત્યારે સરકાર રેટમાં ધટાડો કરવાની જાહેરાત કરી શકે છે. જેનાથી હોમ લોન હજુ સસ્તી થઈ જશે.