કોરોના મહાસંકટની વચ્ચે અફવાહો સતત ફેલાઇ રહી છે, અફવાહો અનુસાર, રેલ્વેએ 15 એપ્રિલથી રિઝર્વેશન બુકિંગ શરૂ કરી દીધી છે. ધ્યાન આપવામાં આવે તો નરેન્દ્ર મોદીની જાહેરાત પછી 21 દિવસ સુધીની લૉકડાઉનની અવધિ 14 એપ્રિલના ખત્મ થઇ રહી છે.
રેલ્વેએ લૉકડાઉન પછી રિઝર્વેશનને લઇને થઇ રહેલી અફવાહ પરની સ્થિતિ સ્પષ્ટ કરી
રેલ્વેએ કહ્યુ કે, 14 એપ્રિલ પછી તારીખની રિઝર્વેશન થઇ જ રહ્યુ છે
રેલ્વે સ્પષ્ટ કર્યુ છે કે, 15 એપ્રિલથી યાત્રા કરવા માટે રિઝર્વેશવન નિયમ પહેલાની જેમ જ છે.
રેલ્વેએ લૉકડાઉન ખત્મ થયાની આગલા દિવસથી રિઝર્વેશનની સુવિધા અંગેની અફવાહ પર વાત સ્પષ્ટ કરી છે. રેલ્વે અનુસાર, 14 એપ્રિલ સુધી રિઝર્વેશન પર રોક લગાવવામાં આવી હીત, આ પછી ક્યારેય પણ રિઝર્વેશન કરાવવા પર કોઇ રોક લગાવવામાં આવી ન હતી. એટલે કે, સ્પષ્ટ છે કે, 15 એપ્રિલથી રિઝર્વેશન શરૂ થવાની વાત ખોટી છે કેમકે જ્યારે રોક જ ના લગાવવામાં આવી હોય તો શરૂ થવાના સવાલો ક્યાંથી ઉભા થઇ રહ્યા છે.
Certain media reports have claimed that Railways has started reservations for the post-lockdown period. It is to clarify that reservations for journeys after 14th April were never stopped and is not related to any new announcement: Ministry of Railways #CoronaLockdownpic.twitter.com/zq1Tsq2Ljr
રેલ્વેએ સ્પષ્ટ કર્યુ કે, હાલના નિયમો અનુસાર, યાત્રાની તારીખથી 120 દિવસ પહેલા રિઝર્વેશનની સુવિધા મળવા લાગી છે. આ નિયમ હેઠળ 15 એપ્રિલ અને તેનાથી આગળની તારીખની યાત્રાઓ માટે 120 દિવસ પહેલા જ રિઝર્વેશનની સુવિધા મળવા લાગી છે. એવામાં જ્યારે લોકડાઉન પછી એટલે કે 15 એપ્રિલથી રેલે યાત્રા માટે રિઝર્વેશનની સુવિધા શરૂ કરવાની વાત ખોટી છે, 14 એપ્રિલ પછી યાત્રા માટે લૉકડાઉન પહેલા જ રિઝર્વેશન શરૂ થઇ ગઇ હતી અને તેના પર ક્યારેય રોક ન હતી લાગી.