રોજગારીની અછતને લઈ ચારેબાજુથી ઘેરાયેલી મોદી સરકારના મંત્રીનું નિવેદન સરકારને અસહજ સ્થિતિમાં નાખી શકે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક સભામાં કહ્યુ છે કે જ્યારે રોજગારી જ નથી તો અનામત કેવી રીતે આપીએ ?
મારાઠા આંદોલનની માંગ પર પત્રકારોએ પૂછેલા સવાલ પર નીતિન ગડકરીએ પોતાના જવાબથી વિવાદોને જન્મ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યુ કે અનામત રોજગાર આપવાની ગેરંટી નથી કેમકે નોકરિઓ ઓછી થઈ રહી છે.
ગડકરીએ કહ્યુ કે એક 'વિચાર' છે જે ઈચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો માટે વિચાર કરે. ગડકરી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અનામત માટે મરાઠાઓના વર્તમાન આંદોલન તથા અન્ય સમુદાયો દ્વારા આ પ્રકારની માંગ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી રહી છે.