અનામત આપવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મૂહર લગાવી દીધી છે પણ આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક સલાહ પણ આપી છે.
અનામત આપવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આપી સલાહ
અનામત નીતિ એક નિશ્ચિત સમયગાળા સુધી હોવી જોઈએ
હાલ મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે
સામાન્ય વર્ગના ગરીબોને આર્થિક આધાર પર અનામત આપવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મૂહર લગાવી દીધી છે પણ આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક સલાહ પણ આપી છે. જણાવી દઈએ કે દેશની સુપ્રીમ કોર્ટે સોમવારે થોડા ભારપૂર્વક કહ્યું હતું કે ક્વોટા સિસ્ટમ માટે સમયસીમા નક્કી કરવાની જરૂર છે અને તેને હંમેશા માટે નથી રાખી શકતા. આરક્ષણ કે અનામતનો હેતુ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે પણ તે અનિશ્ચિત કાળ સુધી ચાલુ ન રાખવું જોઈએ જેથી કરીને તે નિહિત સ્વાર્થ ન બની શકે. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક નિર્ણયમાં દાખલ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવાવાળા 103મા સંવિધાન સંશોધનની માન્યતાને 3 મતોની બહુમતીથી ચાલુ રાખવામાં આવી છે.
અનામત નીતિ એક નિશ્ચિત સમયગાળા સુધી હોવી જોઈએ
જસ્ટિસ ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે આ સિસ્ટમ થોડા સમય પછી હટાવી દેવી જોઈએ. જસ્ટિસ ત્રિવેદીએ કહ્યું હતું કે, "સંવિધાન ઘડનારાઓએ શું વિચાર્યું હતું, 1985માં બંધારણીય બેંચે શું પ્રસ્તાવ મૂક્યો હતો અને બંધારણની શરૂઆતના 50 વર્ષ પછી તેઓ શું પ્રાપ્ત કરવા માગતા હતા,એમ હતું કે અનામત નીતિ એક નિશ્ચિત સમયગાળા સુધી હોવી જોઈએ જેમાં આઝાદીના 75 વર્ષ પછી પણ પ્રાપ્ત નથી કરી શકાયું. એવું ન કહી શકાય કે ભારતમાં પ્રાચીન કાળથી ચાલી રહેલી જાતિ વ્યવસ્થા દેશમાં અનામત વ્યવસ્થા માટે જવાબદાર છે. એ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના લોકો સાથે થતા અન્યાયને સુધારવા અને પછાત વર્ગના લોકોને સમાન તકો પ્રદાન કરવા માટે લાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે અને આવા લોકોને પછાત વર્ગમાંથી દૂર કરવા જોઈએ. આમ કર્યા પછી એવા લોકો પર ધ્યાન આપવામાં આવે જેમને ખરેખર મદદની જરૂર છે.'
103મો બંધારણીય સુધારો
જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદી સરકારે 103મા બંધારણીય સુધારા હેઠળ EWS લાગુ કર્યો હતો. સરકારે આ બંધારણની કલમ 15 અને 16ની ખંડ 6માં ઉમેર્યો છે જેમાં નોકરી અને શિક્ષણમાં અનામત કાયેદો બનાવ્યો હતો. આ અંતર્ગત રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા જનરલ કેટેગરી (EWS)ને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત પર 10 ટકા અનામત આપી શકે છે. ઉપરાંત કલમ 30(1) હેઠળ આવરી લેવામાં આવતી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સિવાય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં (ખાનગી સંસ્થાઓ સહિત) આવી અનામત આપી શકાય છે.
Supreme Court gave Green signal to PM Modi's 10% EWS reservation quota, which will create new educational & employment opportunities. EWS reservation will be provided to the financially backward people who do not get covered into any caste reservations: Maha Dy CM D Fadnavis pic.twitter.com/W9jh0U4E8b
કોને લાભ મળશે
આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત છે. આ અનામત માત્ર સામાન્ય વર્ગ એટલે કે સામાન્ય વર્ગના લોકો માટે છે. OBC (27%), SC (15%), અને ST (7.5%) અનામત પહેલાથી જ છે. EWS આરક્ષણની બાબત તમારી અને તમારા પરિવારની વાર્ષિક આવક પર આધાર રાખે છે. આ આરક્ષણનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક રૂ.8 લાખથી ઓછી હોવી જોઈએ. જેમાં આવકનો સ્ત્રોતોમાં માત્ર પગાર જ નહીં પરંતુ કૃષિ વ્યવસાય અને અન્ય વ્યવસાયોની આવકનો પણ સમાવેશ થાય છે.
EWS અનામતનો લાભ લેવા ક્રાઈટ એરીયા
EWS અનામત હેઠળમાં 5 એકરથી ઓછી ખેતીની જમીન હોવી જોઈએ છે. આ સિવાય 200 ચોરસ મીટરથી વધુનો રહેણાંક મકાન હોવો જોઈએ નહીં, જેમાં નોંધનીય બાબત એ છે કે 200 ચોરસ મીટરથી વધુ જમીનનો રહેણાંક મકાન નગરપાલિકા હેઠળ ન હોવો જોઈએ.
EWS અનામતનો લાભ લેવા માટે?
જો કે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અરજી કરવા માટે કોઈ વય મર્યાદામાં છૂટછાટ નથી. આરક્ષણનો લાભ લેવા માટે EWS પાત્ર પાસે 'આવક અને સંપત્તિ પ્રમાણપત્ર' હોવું આવશ્યક છે. જે પ્રમાણપત્રની માન્યતા એક વર્ષની હોય છે. જે દર વર્ષે ફરી રીન્યુ કરાવવાનું રહે છે.