વાયુ પ્રદૂષણ વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ માટે પણ મહત્ત્વનું કારણ બનેલું છે. આ પ્રદૂષણ ઈંધણને સળગાવવા અને અન્ય કારણોથી પણ થાય છે. તેમાંથી એક કારણ વિમાનમાંથી થતું ઉત્સર્જન પણ છે. તાજેતરમાં એક અભ્યાસમાં દાવો કરાયો છે કે જો બે ટકા કરતાં પણ ઓછી ઉડાનોની ઊંચાઇમાં થોડું પરિવર્તન લવાય તો વિમાનોના લીધે થતા પ્રદૂષણમાં ૫૯ ટકાનો ઘટાડો લાવી શકાય છે.
આકાશમાં વિમાનોની પાછળ સફેદ ધુમાડાની જે રેખા દેખાય છે તેમાં ખૂબ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. તે પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડનના વિજ્ઞાનીઓ જણાવ્યું કે વિમાનોની ઊડાનના રસ્તામાં ૨૦૦૦ ટકાનું પરિવર્તન લાવીને વાતાવરણ પર પડતા પ્રભાવને ઘટાડી શકાય છે.
એન્વાયર્મેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર ઊંચાઇમાં પરિવર્તન કરવા સાથે એરક્રાફ્ટનાં એન્જિનને ક્લીન રખાય તો પ્રદૂષણ ૯૦ ટકા સુધી ઘટાડી શકાય છે.
નવી રીતેથી વિમાન ઉદ્યોગથી થતા જળ વાયુ પ્રભાવને ખૂબ જલદી ઘટાડી શકાય છે. વિમાનની ઊંચાઇને માત્ર ૨૦૦૦ ફૂટ ઘટાડવામાં કે વધારવામાં આવે તો તેને પાતળી પરતોમાં જવાથી રોકી શકાય છે.