કોરોના કાળના આરંભિક ચરણમાં સમગ્ર વિશ્વમાં ઘણી બધી ઉથલ પાથલ સર્જાઇ હતી. આંગર માનવીય જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. માનવ જીવનનું એવું એક પણ પાસું કે ક્ષેત્ર નહોતું જે કોરોનાથી વત્તા ઓછા અંશે પ્રભાવિત ન થયું હોય. હાલમાં પણ જો કે આ મહામારી શરૂ જ છે અને વિશ્વભરમાં તેનો કોપ હજી ઘટ્યો નથી જોકે ઉત્તરોત્તર વધતો જ જઇ રહ્યો છે. જો કે માનવ જીવનને લાંબા સમય માટે તાળાંબંધીમાં રાખવું એ શક્ય નથી હોતું. તેથી ધીરે ધીરે અમુક દેશોમાં હવે અનલોકિંગ થઈ રહ્યું છે. જેના લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનોને પણ મર્યાદિત ધોરણે અમુક દેશોમાં ફરીથી ચાલુ કરવામાં આવી રહ્યા છે.
કોરોના ઉપરના એક સર્વેમાં કરવામાં આવ્યો દાવો
પબ્લિક ટ્રાન્સપોર્ટને લઈને કરવામાં આવ્યું પરીક્ષણ
અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે હાથ ધર્યો સર્વે
કોવિડ 19 ની શરૂઆતમાં અમેરિકામાં ન્યુયોર્ક શહેરની હાલત બહુ ખરાબ હતી, જેના લીધે ત્યાં વીકલી ચાલતી દરેક ટ્રેનો પર રોક લાગી હતી. જો કે હવે પાંચ મહિના બાદ ફરી ત્યાં ધીમે ધીમે જનજીવન પાટા પર પરત ફરી રહ્યું છે.જો કે હજુ પણ ટ્રેનોથી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા 20%થી ઓછી જ છે જો કે અન્ય ઘણા શહેરો છે જે આ બાબતે વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
શું જોવાઈ રહ્યું છે?
અમેરિકાના એક અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના સર્વે પ્રમાણે કોરોના સંક્રમણ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટને ખતરનાક માનવામાં આવ્યું નથી, જેટલું પહેલા લાગી રહ્યું હતું. જો ભીડ પર નિયંત્રણ રાખી શકાય અને લોકો માસ્ક પહેરીને તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને યાત્રા કરે તો સંક્રમણનો ખતરો ઘણો ઘટી જવા પામે છે. એવી જ રીતે પેરિસની જો વાત કરીએ તો ત્યાં મે થી જુલાઇ વચ્ચે સંક્રમણના માત્ર 386 કેસો સામે આવ્યા હતા જેમાંથી એક પણ પબ્લિક ટ્રાન્સપોર્ટથી જોડાયેલો નથી. જાપાનના ટોક્યો અને યૂરોપના ઑસ્ટ્રિયા દેશમાં પણ અ જ હકીકત બહાર આવી છે.
જો કે હજી પૂર્ણ રૂપે પબ્લિક ટ્રાન્સપોર્ટને સેફ કહી શકાય એમ નથી.
જો કે હજુ પાક પાયે આ વાત સાબિત થઈ નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટથી કોરોના સંક્રમણ ખતરો ઘટે છેએ કે નહીં, છતાં પણ ભારતમાં માનવ જીવનને ફરીથી પાટા પર લાવવા માટેની કવાયત વિવિધ રાજ્ય સરકારો દ્વારા અને નગર નિગમો દ્વારા શરૂ કરી દેવાઈ છે. વિવિધ સિટીની અંદરના પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસને મોત ભાગે શરૂ કરી દેવાયા છે અને રાજ્યની અંદરના આંતરિક વ્યવહારો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ સાધનો જેવા કે બસ વગેરેને પણ મોટા ભાગના રાજ્યોમાં આ મંજૂરી આપી દેવામાં આવી છે. આંતરરાજયીય બસ વ્યવહારો પણ અમુક રાજ્યો વચ્ચે મર્યાદિત પણે શરૂ કરી દેવાયા છે. ટ્રેનો જો કે હાલ બંધ છે પણ 12 ઓગસ્ટ પછી તેના પર કોઈ મોટો નિર્ણય લેવાય તેની પૂરી શક્યતાઓ છે.
બનાવાઇ રહ્યા છે નિયમો
ભારતની સાથે વિદેશોમાં પણ આ જોવામાં આવ્યું છે કે આ સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને નિયંત્રિત કરવા માટે પરિસ્થિતિ અનુરૂપ વિવિધ નિયમો બનાવાઇ રહ્યા છે. જેમાં મોટા ભાગે માસ્ક પહેર્યા વગર એન્ટ્રીની પરવાનગી ન દેવી, થર્મલ ગનથી વ્યક્તિનું ટેમ્પરેચર માપવું વગેરે સામેલ છે. જો કે આ સાથે જ હવાઈ સફર માટે કે લાંબી દૂરી માટે વ્યક્તિના ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે જેથી વ્યક્તિની નજીકમાં કેટલા સંક્રમિતો છે તે જાણી શકાય. આ સાથે જ બસો વગેરેમાં પણ યાત્રાળુઓ માટે ફૂલ વાહન ભરાતું નથી. તેમાં સોશિયલ ડિસ્ટન્સના માપદંડોનું ધ્યાન રાખવામાં આવે છે. બસોની સીટોને વારંવાર સેનેટાઈજ કરવામાં આવી રહી છે. બસોના હેંડલ્સ કે અન્ય જગ્યા જ્યાં સામાન્ય પણે યાત્રીઓના હાથ સ્પર્શવાનું જોખમ વધુ હોય છે તેને ડીસઇનફેક્ટ કરવામાં આવી રહી છે જો કે સાથે જ દિલ્લી જેવા શહેરોમાં મેટ્રો વેગેરેંમાં પણ વેન્ટિલેશન પ્રોપર જળવાઈ રહે તે માટેની ગોઠવણ કરાઇ રહી છે.જો કે બસ કે ટ્રેનની અંદર કેટલું સોશ્યલ ડિસ્ટનસિંગ યોગ્ય તે બાબતના વિવિધ રિસર્ચ કરાઇ રહ્યા છે.
હવાના સર્ક્યુલેશન પર ધ્યાન
ન્યુયોર્કમાં સબ વે માં વેન્ટિલેશન સિસ્ટમને સુધારવામાં આવી રહી છે જેમાં એક કલાકમાં 18 વખત હવા સાફ બનીને વહે છે, આ કોઈ રેંસટ્રૉ કેહોટેલના સર્ક્યુલેશનથી બેટર છે જેમાં 8 થી 12 વખત હવા ફ્રેશ થઈને વહે છે જ્યારે ઓફિસોમાં તો હાલત હજુએ ખરાબ છે કજેમાં એક કલાકમાં હવા માત્ર 6 થી 8 વખત જ સર્ક્યુલેટ થાય છે. ટોક્યોમાં જોકે આવી સિસ્ટમ નટી છતાં ત્યાં પણ પ્રોપર વેન્ટિલેશન પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ટિકીટ બારીઓને સેનેટાઈજ કરાઈ રહી છે. ચીનમાં પણ આ પ્રકારનું સ્ટડી ત્યાંનાં ચાઈનીજ સેન્ટર ફોર કંટ્રોલ ડિસિજ અને પ્રીવેન્શન દ્વારા હાથ ધરાયો છે.
ઇંડેક્ષ પેશન્ટથી દૂરી
સમૂહમાં બેઠેલ દર્દીને ઈન્ડેક્ષ પેશન્ટ એ પેશન્ટ જીરો કહેવામાં આવે છે, એક તારણમાં સામે આવ્યું છે કે કોરોના દર્દીથી આગળ પાછળ 5 થી 6 સીટ પર બેસેલા લોકોને અને આજુબાજુના 3 સીટ પરના લોકોને સંક્રમણનો ખતરો 0.32 ટકા હોય છે જ્યારે પેશન્ટની એકદમ જ બગલમાં બેઠેલા વ્યક્તિને આ ખતરો 3.5 ટકા જેટલું હોય છે. જો કે આ સર્વે 3 કલાકની મુસાફરીના સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જો 3 કલાકથી વધુની મુસાફરી હોય તો પરિણામ આલગ હશે. સ્ટડી જણાવે છે કે દર કલાકે આ ખતરો 1.3% જેટલો વધતો જાય છે. તેમ જ જો માસ્ક ન પહેરવામાં આવે કે વારંવાર હેટ દ્વારા મુખ, નાક, કાન વગેરેને સ્પર્શવામાં આવે તો ખતરો હજુ વધી જાય છે.
ફ્લાઇટમાં ઈન્ડેક્ષ પેશન્ટથી દૂરી
ટ્રેનની જેમ જ જોકે હવાઈ મુસાફરીમાં પણ સંક્રમણનો ખતરો હોય છે જો કે તેને અપેક્ષાકૃત વધુ સેફ માનવામાં આવે છે. કેમ કે તેમ વધુ સ્તરનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને સાથે જ ppe કીટ પહેરીને પણ હવાઈ યાત્રા કરી શકાય છે. આ મતલબનો એક સ્ટડી અમેરિકા સ્થિત Emory University અને Georgia Techની સાઇન્સ જર્નલ pnasમાં દર્શાવવામાં આવ્યો છે જેમાં સ્ટડી થયું છે કે બધી સાવચેતીઓ છતાં પણ જો કોઈ દર્દી વિમાનમાં આવી જે તો તેનાથી કેટલા વિસ્તારના લોકો પ્રભાવિત થઇ શકે છે. ફ્લાઇટમાં જો કોઈ વ્યક્તિ ખાંસે કે છીંકે છે તો તેનાથી આગળ પાછળની બે સીટ વાળાને આ ખતરો સૌથી વધુ હશે. જે દૂર નેટહેલ યાત્રી સુધી પહોંચતા પહોંચતા 1% જેટલું થઈ જશે. કેબિન ક્રૂના લોકો જે સતત ફરતા રહેતા હોય છે તેને આ ખતરો 5 થી 20% જેટલો રહે છે. દર મિનિટે વાયરસ ફેલાવન જોખમની દર 1.8% હોય છે.