નોર્વેના ઓસ્લો યુનિવર્સીટી હોસ્પિટલના વૈજ્ઞાનિકોનો દાવો છે કે રેમડેસિવિર અને એચસીક્યૂ દર્દીના સ્વસ્થ થવામાં કોઈ મદદ નથી કરતા.
રેમડેસિવિર અને એચસીક્યૂ દર્દીને કોઈ લાભ નહીં
દાખલ 181 દર્દી પર શોધ કરાયી
દવાથી કોઈ રાહતના સંકેત નહીં
રેમડેસિવિર અને એચસીક્યૂ દર્દીને કોઈ લાભ નહીં
દુનિયાભરમાં કોરોના સંક્રમણના ગંભીર દર્દીની સારવારમાં રેમડેસિવિર અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન (એચસીક્યૂ)નો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. જો કે આ બન્ને દવાઓની અસરને લઈને વૈજ્ઞાનિક હજું એકમત નથી થયા. હવે નોર્વેના ઓસ્લો યુનિવર્સીટી હોસ્પિટલના વૈજ્ઞાનિકોનો દાવો છે કે રેમડેસિવિર અને એચસીક્યૂ દર્દીના સ્વસ્થ થવામાં ન તો કોઈ મદદ કરે છે ન બિમારીની ગંભીરતાને ઓછી કરે છે. અને ન સોજાની સમસ્યામાં રાહત મળે છે. આમાં દર્દીઓની ઉંમર અને રોગીઓને કેટલા સમય સુધી લક્ષણ રહ્યા તેની સાથે કોઈ લેવા દેવા નથી.
દાખલ 181 દર્દી પર શોધ કરાયી
નોર્વેના વૈજ્ઞાનિકોએ 28 માર્ચ 2020થી 4 ઓક્ટોબર 2020ની વચ્ચે 23 હોસ્પિટલોમાં 181 દર્દી પર શોધ બાદ આ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર 42 દર્દીઓને રેમેડેસિવિર અપાઈ. 52 દર્દીઓને એચસીક્યૂ જ્યારે 87 દર્દીઓને કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવનારી સામાન્ય દવા આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ જોયું કે પરિક્ષણમાં સામેલ દર્દીઓના ત્રણેય ગ્રુપમાં પહેલા અઠવાડિયામાં બરાબર સ્તર પર વાયરસ લોડ ઓછો થઈ રહ્યો હતો.
દવાથી કોઈ રાહતના સંકેત નહીં
વૈજ્ઞાનિકોએ જોયું કે જે દર્દીને રેમડેસિવિર અને એચસીક્યૂ આપવામાં આવી રહી હતી. તેમના બ્લડ સેમ્પરથી જાણવા મળ્યું કે કોઈ દવાથી રેસ્પિરેટરી ફેલ્યોર અથવા સોજો ઓછો કરવાના કોઈ સંકેત નથી મળ્યા. એટલું જ નહીં એન્ટીબોડી જ બનતી નથી. વૈજ્ઞાનિકોએ પોતાની રિપોર્ટમાં એ સ્પષ્ટ કર્યુ છે કે રેમેડેસિવિર અથવા એચસીક્યૂની મદદથી ગળામાં હાજર વાયરસ ખતમ ન કરી શકાય.