કોરોનાના લક્ષણો પણ હવે બદલાઇ રહ્યા છે. શરદી અને ગળામાં દુઃખાવો થાય તો જલ્દી કરો ડોક્ટરનો સંપર્ક કરવો, રિસર્ચમાં સામે આવ્યા નવા લક્ષણો
કોરોનાને લઇને સંશોધનમાં દાવો
કોરોનાના લક્ષણો 2 દિવસમાં દેખાય છે
ગળામાં દુઃખાવાથી થાય છે શરુઆત
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ કોરોના હજી ગયો નથી. કોરોનાને લીધે લોકો મુક્તમને જીવી પણ શકતા નથી. કોરોના, ઓમીક્રોન એમ અલગ અલગ વેરિએન્ટ સામે આવી રહ્યા છે તેવી જ કોરોનાના લક્ષણો પણ બદલાઇ રહ્યા છે. કોવિડના લક્ષણો પર તાજેતરના સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આવો અમે તમને જણાવીએ આ સંશોધનની મહત્વની બાબતો બે દિવસમાં કોરોનાના લક્ષણો દેખાય છે
આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસના લક્ષણો હવે 10 કે 14 દિવસમાં નહીં પરંતુ બે દિવસમાં દેખાઈ રહ્યા છે. આ અભ્યાસ ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા DHSC અને રોયલ ફ્રી લંડન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો.
કોરોના પર વિવિધ પ્રકારના અભ્યાસના દાવા
આ અભ્યાસમાં, સ્વસ્થ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હતા. આ તમામ લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા, જેથી ચેપ લાગ્યા બાદ શરીરમાં વાયરસનો વિકાસ અને તેના લક્ષણોને નજીકથી શોધી શકાય. આ અભ્યાસ અત્યાર સુધીના અભ્યાસ કરતા બિલકુલ અલગ જણાવવામાં આવી રહ્યો છે.
કોરોના સામે રક્ષણ માટે માસ્ક ખૂબ જ જરૂરી છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચેપ ગળામાં શરૂ થાય છે અને પાંચ દિવસમાં તેની ટોચ પર પહોંચે છે. આ અભ્યાસ પછી સંશોધકે કહ્યું કે કોરોનાથી બચવા માટે મોં અને નાકને મેડિકલ માસ્કથી ઢાંકવું ખૂબ જ જરૂરી છે.
અભ્યાસમાં 36 સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા
આ અભ્યાસમાં 36 સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા જેઓને કોરોનાની રસી નથી મળી અને તેઓને ક્યારેય ચેપ લાગ્યો નથી. તમામની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી. 36 સહભાગીઓમાંથી, ફક્ત 18 જ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને 16 લોકોએ હળવા અથવા ગંભીર લક્ષણોનો અનુભવ કર્યો હતો.
જ્યારે ચેપ લાગ્યો ત્યારે આ લક્ષણો દેખાયા
જેઓને ચેપ લાગ્યો હતો તેઓમાં વહેતું નાક, શરદી અને ગળામાં દુખાવો સહિતના હળવાથી મધ્યમ લક્ષણો જોવા મળ્યા, કોઈને પણ ગંભીર ચેપ લાગ્યો ન હતો. 13 લોકોએ તેમની ગંધની સંવેદના ગુમાવી દીધી હતી, જે 90 દિવસમાં પરત આવી હતી. અભ્યાસમાં ભાગ લેનારા તમામ લોકો પર 12 મહિના સુધી નજર રાખવામાં આવશે.