દુનિયાભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ ચેતવણી આપી છે કે કોરોનાથી થનારા મોતનો આંક 20 લાખ સુધી જઈ શકે છે. દુનિયામાં 9 લાખ 93 હજારથી વધુના મોત થયા છે. WHOની ચેતવણી વચ્ચે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે કોરોનાના દર્દીને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળે તો તેના મોતની શક્યતા 50 ટકા ઘટે છે.
કોરોનાથી મોતનો આંક 20 લાખ સુધી જશેઃ WHO
અમેરિકાની યુનિવર્સિટીએ કર્યો નવો દાવો
વિટામીન ડી પૂરતા પ્રમાણમાં હશે તો કોરોનાથી મોતની શક્યતા 50 ટકા ઘટશે
શોધકર્તાઓએ જાણ્યું છે કે વિટામીન ડી પૂરતા પ્રમાણમાં મળે તો કોરોનાનું સંક્રમણ ઘટે છે. હોસ્પિટલમાં મોતનું પ્રમાણ પણ ઘટશે. વિટામીન ડીની પ્રમાણના કારણે કોરોનાથી બીમાર થનારા દર્દીને 13 ટકા મોતનો ખતરો ઓછો રહે છે. જો તે પૂરતા પ્રમાણમાં મળશે તો દર્દીને વેન્ટિલેટર પર રાખવાની શક્યતા પણ 46 ટકા ઘટશે.
આ રીતે કોરોના દર્દીને ફાયદો કરે છે વિટામીન ડી
વૈજ્ઞાનિકોએ કહ્યું કે વિટામીન ડી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. તેમાં કોરોનાથી લડવાની વધુ શક્તિ હોય છે. અમેરિકામાં લગભગ 42 ટકા દર્દીઓમાં વિટામીન ડીની ખામી જોવા મળી છે. શોધમાં કહેવાયું છે કે વૃદ્ધોમાં વિટામીન ડીની ખામી વધુ હોય છે અને આ કારણે તેઓ કોરોનાના શિકાર ઝડપથી બને છે.
દુનિયામાં આવો છે કોરોનાનો પ્રકોપ
દુનિયામાં કોરોનાના મોતનો આંક 10 લાખને પાર પહોંચ્યો છે, આ સમયે 3 કરોડ 27 લાખ 65 હદાર 201થી વધુ દર્દીઓ સંક્રમિત છે. અત્યારસુધીમાં કોરોનાથી 9,93, 463 મોત થયા છે. કોરોનાથી અમેરિકામાં 2 લાખથી વધુ મોત થયા છે. તો ભારતમાં આ આંક 93,379 રહ્યો છે. બ્રાઝિલમાં અત્યાર સુધી કોરોનાથી 1 લાખ 40 હજારથી વધુ મોત થયા છે અને રશિયામાં 20 હજારથી વધુના મોત થયા છે.