જામનગરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પરિસ્થિતી વધું બગડી છે. ભારે વરસાદને કારણે અમદાવાદથી બે રેસ્કયુ ટીમ જામનગરમાં જવા રવાના થઈ છે.
અમદાવાદથી રેસ્કયું ટીમ જામનગર જવા રવાના
ફાયર વિભાગની બે રેસ્કયુ ટીમ રવાના થઈ
રંગમતી નદી બે કાઠે વહેતી થઈ
જામનગરમાં ભારે વરસાદને કારણે લોકોની હાલત ગંભીર થઈ ગઈ છે. અહીયા લોકો હાલ જીવન અને મોત વચ્ચે લટક્યા હોય તેવી સ્થિતી સર્જાઈ છે. ખાસ કરીને કાલાવાડ ગામમાં હાલ ભયંકર પરિસ્થિતી સર્જાઈ છે. જેના કારણે સરકાર પણ દોડતી થઈ ગઈ છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામનગરની મુલાકાતે જવા નિકળ્યા છે.
રેસ્કયુ ટીમ જામનગર જવા રવાના
પરિસ્થિતી એટલી બધી વણસી ગઈ કે જામનગરની રેસ્ક્યુ ટીમ તો ખરી પરંતુ હવે તો અમદાવાદની ટીમો પણ જામનગર જવા માટે રવાના થઈ છે. ફાયર વિભાગની 2 રેસ્ક્યુ ટીમ જામનગર બાજુ જવા રવાના થઈ છે. જેમા રેસ્કયું બોટ સાથે ફાયરના જવાનો જામનગરમાં જવા માટે રવાના થયા છે.
આખા જિલ્લામાં જળ બંબાકાર જેવી સ્થિતી
આકાશી આફતને કારણે જિલ્લામાં ચારે તરફ જળ બંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. જેના કારણે રંગમતી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સાથેજ નદીની આપસા આવેલા નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથેજ રંગમતી નદીના ધસમસતા પુરને કારણે અમુક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
કાલાવાડમાં સૌથી ખરાબ હાલત
કાલાવાડમાં મેઘતાંડવને કારણે ભારે તારાજી સર્જાઈ છે. પરિસ્થિતી એટલી ગંભીર થઈ ગઈ છે. અહીયાના ગામમાં રહેતા લોકોને NDRFની ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવી રહ્યા છે. લોકો પોતાનો જીવ બચવવા માટે NDRFની ટીમની રાહ જોઈ રહ્યા છે. કાલાવાડ સહિતના અન્ય વિસ્તારોમાં બપોર પછી ફરી વરસાદ પડવાનું શરૂ થયું છે.