મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પાણી રોડ રસ્તા અને ઘરોમાં ઘુસી ગયા છે. ત્યારે રેલ્વે સેવાઓને પણ અસર પહોંચી છે.
મળતી માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઇને સાપોનો ખતરો ઉભો થયો છે. મુંબઇમાં વસઇના કેટલાક સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે પાણીમાં સાપ ફરતા નજરે આવી રહ્યા છે.
Disaster Management has reported that there is no situation of water logging in Mumbai. Concerned authorities are keeping a track of the situation.There's nothing to worry as disaster management is ready to face any situation: Vinod Tawde Maharashtra Minister on #MumbaiRainpic.twitter.com/nVXCCcJl0R
શરૂ થયું રેસ્ક્યૂ ઓપરેશન
વરસાદ બાદ એનડીઆરએફે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. પાલઘર ડિસ્ટ્રીક્ટ કલેક્ટર પ્રશાંત નરનાવરેએ જણાવ્યું કે એનડીઆરએફ કંપની વસઇ પહોંચી છે. જો જરૂર પડશે તો વધુ રેસ્ક્યૂ ટીમ પણ વસઇ પહોંચી જશે.