ઉત્તરકાશીમાં મનેરી ડેમમાં પુર આવતા ડેમની પાસે આવેલા ટાપુમાં કામ કરતા શ્રમિકો ફસાયા. NDRFએ રેસક્યુ કામગીરી કરીને તમામનો બચાવ્યો જીવ
ઉત્તરકાશીમાં મનેરી ડેમમાં પૂર
જળસ્તર વધતા શ્રમિકો ટાપુ પર ફસાયા
NDRFએ રેસક્યુ કરીને તમામને બચાવી લીધા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવાર અને શુક્રવારની રાતે અચાનક જ દોડધામ મચી. મનેરી ડેમમાં પૂર આવતા આસપાસના વિસ્તારની નદીમાં જળસ્તર વધતા એક ટાપૂ પર કેટલાક લોકો ફસાઇ ગયા. ઘટનાને પગલે તાત્કાલિક એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, એનડીઆરએફની સમય સૂચકતાને કારણે તમામ લોકો સ્વસ્થ રીતે બહાર આવી ગયા હતા.
નદીમાં જળસ્તર વધતા વૈકલ્પિક માર્ગ ધોવાઇ ગયો
ગુરુવારે મોડી રાત્રે SDRF ટીમને માહિતી મળી હતી કે મનેરી ડેમ નજીકના એક ટાપુ પર કેટલાક લોકો ફસાયેલા છે. ઘટનાસ્થળે પહોંચ્યા પછી જાણવા મળ્યું કે ટાપુ પર ફસાયેલા લોકો દૈનિક મજૂરી કામ કરે છે અને મનેરી ડેમની પાસે જ રહે છે. પરંતુ નદીનું જળસ્તર વધવાને કારણે વૈકલ્પિક માર્ગ ધોવાઈ જવાથી લોકો ટાપુ પર જ ફસાઇ ગયા.
SDRFએ અંધારામાં પણ કરી રેસક્યુ કામગીરી
SDRFની ટીમે કોઈ પણ પ્રકારની ભૂલ કે વિલંબ કર્યા વિના મોડી રાત સુધી અંધારામાં પણ બચાવ કામગીરી હાથ ધરી હતી. આવા કપરા સંજોગોમાં પણ દોરડાની મદદથી ટાપુમાંથી આ તરફ લાવવામાં આવ્યા હતા. નદી પાર કરવા માટે એક પુલ બનાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોતાનો જીવ બચાવવા બદલ ફસાયેલા લોકોએ એસડીઆરએફની ટીમનો આભાર માન્યો હતો.
Uttarakhand | SDRF team rescued three people who got stranded near Maneri Dam in Uttarkashi district last night, May 12. Rescue operation underway: SDRF pic.twitter.com/wuTBEBcRGd
મહત્વનું છે કે ધાર્મિક અને પર્યટન શહેર ઉત્તરકાશીમાં આ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં વાહનો સતત જામ થઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પર્યટન સ્થળો બંધ હોવાથી હાલમાં અહીં રેકોર્ડ બ્રેક મુસાફરો નોંધાઇ રહ્યા છે. ગંગોત્રી ધામથી યમુનોત્રી ધામ સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. પરિણામે પગપાળા ચાલતા મુસાફરોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.