જૂનાગઢ: પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે. ત્યારે ગુજરાતના એક ગામની આજે વાત કરીશું. આ ગામ અનાજના બીજ રોપવાની સાથે સાથે જવાનોના બીજ પણ ઘરે-ઘરે રોપે છે. ગુજરાતના કયા જિલ્લાનો છે આ અહેવાલ. નજર કરીએ ગુજરાતના આ પીખોર ગામની રાષ્ટ્રભક્તિમાં.
દેશભક્તિ ના રંગે રંગાયેલું પોખર ગામ માત્ર ૨૬ જાન્યુઆરી કે ૧૫ ઓગસ્ટના દિવસે જ નહી પરંતુ ૩૬૫ દિવસ આ ગામમાં દેશભક્તિ જોવા મળે છે. જૂનાગઢના પીખોર ગામમાં એક નહી બે નહી પરંતુ ૪૨ યુવાનો આર્મી માં ભરતી થઇ દેશની સેવા કરી રહ્યા છે.
આ ગામની શેરીએ-શેરીએ જોવા મળે છે દેશભક્તિ. મોટાભાગના ઘરોમાં જોવા મળશે લશ્કરમાં ભરતી થયેલા યુવાનોની તસ્વીરો. આ ગામ છે જૂનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલ છે. ગામમાંથી ૪૨ યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવી દેશની સેવા કરી રહ્યા છે. આ સાથે જ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય સેનામાં યુવાનો ભરતી થઇ રહ્યા છે. વંશ પરમ્પરા હોય તે રીતે જેના પિતા ફોજમાં હતા તો તેનો પુત્ર હવે ભારતીય સેનામાં ભરતી થયાં છે અને પોતાના એકના એક પુત્ર હોવા છતાં દેશ માટે અર્પણ કરી દીધા હોવાનો ગર્વ તમના માતા-પિતા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ગામ ની વસ્તી ૨૦૦૦ કરતા પણ વધારે છે. ગામમાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે. ત્યારે ગામમાંથી એક પછી એક યુવાનો ભારતીય સેનામાં ભરતી થઇ અને ગામનું ગૌરવ જાળવી રાખ્યું છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ એવું ગામ હશે કે જ્યાં એક સાથે ૪૨ યુવાનો માં ભોમની સતત સેવા કરી રહ્યા છે. આ યુવાનો જ્યારે પણ ગામમાં આવે ત્યારે બેરોજગારો યુવાનોને તાલીમ આપે છે અને ભારતીય સેનામાં ભરતી થવા સમજાવે છે.
આજે સમગ્ર દેશ 70માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પીખોર ગામના યુવાનોની ભારત માતા પ્રત્યેની શ્રદ્ધા ખરેખર ગૌરવપ્રદ બાબત છે. Vtv દેશના તમામ જવાનો તથાં દેશવાસીઓને ગણતંત્ર પર્વની શુભેચ્છા પાઠવે છે.