આજે ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, દિલ્હીમાં કર્તવ્યપથ પર આજે સેના દ્વારા ભારતની સૈન્ય શક્તિનું પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે
ભારતમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી
10 વખત એવું થયું છે કે પરેડમાં કોઈ વિદેશી મહેમાન સામેલ થયા ન હોય
પાકિસ્તાનને પણ બે વખત ગણતંત્ર દિવસ પરેડમાં ચીફ ગેસ્ટનો મોકો મળ્યો
આજે ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં કર્તવ્યપથ પર આજે સેના દ્વારા ભારતની સૈન્ય શક્તિનું પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે, જે આખી દુનિયા જોશે. દિલ્હીમાં દર વર્ષે ગણતંત્ર દિવસે ખાસ વિદેશી મહેમાન સામેલ થાય છે અને જે તે દેશની સેનાની એક ટુકડી પણ પરેડમાં જોડાતી હોય છે.
વર્ષ 1950માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે તિરંગો ઝંડો ફરકાવ્યો ત્યારે પહેલીવાર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગોકર્ણ ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. બસ ત્યારથી જ દર વર્ષે ભારતમાં મુખ્ય મહેમાન સામેલ થાય છે. આઝાદ ભારતના ઈતિહાસમાં માત્ર 10 વખત એવું થયું છે કે પરેડમાં કોઈ વિદેશી મહેમાન સામેલ થયા ન હોય.
એક પરિવારની ત્રણ પેઢી ભારતમાં ચીફ ગેસ્ટ બન્યું છે
વિદેશી મહેમાનોમાં એક એક પરિવાર પણ છે જેની ત્રણ પેઢી ભારતમાં ચીફ ગેસ્ટ બન્યું છે. 1954માં પહેલીવાર ભૂટાનના રાજા જિગ્મે દોરજી વાંગચૂક ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. તે બાદ 1984માં તેમના પુત્ર જિગ્મે સિગ્યે વાંગચૂક ચીફ ગેસ્ટ બન્યા, ભૂટાનના રાજા તરીકે 2005માં પણ તેઓ ફરીથી ચીફ ગેસ્ટ તરીકે ભારત આવ્યા. 2013માં તેમના પુત્ર જિગ્મે ખેસર નામગ્યાલ 2013માં ચીફ ગેસ્ટ બન્યા. નામગ્યાલ આજે પણ ભૂટાનના રાજા છે.
સૌથી વધુ ચીફ ગેસ્ટનું સન્માન ફ્રાંસ મળ્યું છે
સૌથી વધારે કોઈ દેશને ચીફ ગેસ્ટનું સન્માન મળ્યું તો તે છે ફ્રાંસ, અહીંથી પાંચ વખતે રાષ્ટ્રપ્રમુખ ચીફ ગેસ્ટ બનીને આવ્યા હતા. મોરશિયસના શાસનઅધ્યક્ષ પણ ત્રણ વખત મુખ્ય મહેમાન બની ચૂક્યા છે, દુશ્મન દેશ પાકિસ્તાનને પણ બે વખત ગણતંત્ર દિવસ પરેડમાં ચીફ ગેસ્ટ બનવાનો મોકો મળી ચૂક્યો છે.
નોંધનીય છે કે ચીનને 1958થી આજ સુધી એક પણ વખત ચીફ ગેસ્ટ બનાવવામાં આવ્યું નથી. 2003માં પહેલીવાર ઈરાનના રાષ્ટ્રપતિ ભારતમાં ચીફ ગેસ્ટ બન્યા હતા, તે સમયે અટલ બિહારી વાજપેયી ભારતના પ્રધાનમંત્રી હતા અને ઈરાન સાથે સંબંધ મજબૂત હતા.