એકે રેલીને સંબોધન કરતા ખેડૂત નેતા જોગીન્દર સિંહે કહ્યું હતું કે 26મી જાન્યુઆરીએ જે પણ બન્યું તે અચાનક નહોતું બન્યું, તે એક તૈયારીની સાથે પર પાડવામાં આવેલું ષડયંત્ર હતું.
બરનાલાની એક રેલીમાં ખેડૂત નેતાનું મોટું નિવેદન
પોલીસની નોટિસોને સળગાવી દો અને તેમને ગામડામાં પ્રવેશવા નહીં દેતા: ખેડૂત નેતા
તેઓ પ્રદર્શનને ધાર્મિક રંગ આપવા માંગતા હતા, પણ નિષ્ફળ ગયા: કિસાન નેતા
દીપ સિદ્ધુ અને ગેંગસ્ટર લક્ખાસિંહ પર પણ નિશાન સાધતા ખેડૂત નેતા જોગીન્દર સિંહે કહ્યું હતું કે, 26મી જાન્યુઆરીએ જે પણ ઘટના બની તે એક ષડયંત્ર હતું, જેની તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી, કાવતરાખોરો એક અલગ જ દિશામાં ચાલી રહયા હતા, અને તેમના લક્ષ્યો પણ અલગ હતા.
26મી જાન્યુઆરીની ઘટના એક ષડયંત્ર હતી : ખેડૂત નેતા
બરનાલામાં એક રેલીને સંબોધતા ખેડૂત નેતાએ કહ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ તેમની ઈચ્છા નક્કી કરેલા રૂટ પર જ નીકળવાની હતી, જે માર્ગ અંગે ચર્ચા જ નહોતી થઇ ત્યાંથી તેઓ નીકળવા માંગત નહોતો, વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રદર્શનને એક ધાર્મિક રંગ આપવાના પ્રયત્નો થયા, પરંતુ તેઓ નિષ્ફ્ળ રહયા.
જોગીન્દરસિંહે કહ્યું કે તેમને ખબે છે કે લડાઈ લેવી રીતે લડવામાં આવે છે, પણ જે રીતે અમુક લોકોએ પોતાને પ્રસ્થાપિત કર્યા તે એમનો વિકલ્પ નથી, વધુમાં દિલ્હી પોલીસની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે પોલીસ ખેડૂતોની વિરુદ્ધમાં ખોટા કેસ ઉભા કરી રહી છે, બલબીરસિંહ રાજવાલનું નામ ટાંકી તેમણે કહ્યું કે તેમના પર ડકૈતી કરવાનો આરોપ છે. જો કે આ મામલે ખૂબ જ આક્રમક વલણ અપનાવીને તેમણે કહ્યું કે પોલીસની નોટિસોને બાળી નાખો અને તેમને ગામડામાં ઘૂસવા નહિ દેતા.
પીએમ મોદી એ આપણું અપમાન કર્યું : ખેડૂત નેતા
આ સમયે બલબીરસિંહે પણ કહ્યું કે પીએમ મોદીએ તેમને આંદોલનજીવી કહીને તેમનું અપમાન કર્યું છે,જો અમે પરજીવી છીએ, તો ભાજપ નેતાઓએ અમર નહિ પણ પીએમ મોદી દ્વારા ઉગાડાયેલું ખાવું જોઈએ. ખેડૂતોની જમીનો પર નજર રાખીને બેઠેલ કંપનીઓનો વિરોધ કરવો પણ રાષ્ટ્રહિત છે.