ભારત આ વખતે 26 જાન્યુઆરીએ પોતાનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. લગભગ બધા જ જાણે છે કે 1950 જાન્યુઆરી 26 ના રોજ ભારતીય બંધારણ અમલમાં હોવાથી, આ દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ભારતીય બંધારણ સભાએ 26 નવેમ્બર 1949માં જ બંધારણ સ્વીકાર્યું હતું. તો પછી તેને 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ લાગુ કરવામાં આવ્યું? શું તમે જાણો છો કે ભારતના બંધારણની મૂળ નકલ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે? પણ કેમ?
આજે ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ
ભારતનું જ સંવિધાન છે જે હાથથી બનેલા કાગળ પર હાથથી લખાયું છે
ભારતીય સંવિધાન કાળી શાહીથી લખાયું છે
આ કારણે ખાસ છે ભારતનું સંવિધાન
સંવિધાન લાગી કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરાયો કારણ કે 1930માં આ દિવસે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ જાહેર કર્યું હતું.
દુનિયામાં ભારતનું જ સંવિધાન છે જે હાથથી બનેલા કાગળ પર હાથથી લખાયું છે.
સંવિધાનના દરેક પાના પર સોનાની પત્તિઓ વાળી ફ્રેમ બની છે. સાથે દરેક અધ્યાયના આરંભિક પૃષ્ઠ પર એક કલાકૃતિ પણ બનાવવામાં આવી છે.
બંધારણની મૂળ નકલ પ્રથમ ફલાનેલમાં લપેટી હતી અને નેપ્થાલિન બોલ્સની સાથે રાખી હતી.
વર્ષ 1994માં સંસદ ભવનની લાયબ્રેરીમાં તે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર ચેમ્બરમાં સુરક્ષિત કરવામાં આવ્યું હતું.
પહેલાં જોવામાં આવ્યું કે વિશ્વના અન્ય દેશોમાં કેવી રીતે બંધારણનું રક્ષણ કરવામાં આવ્યું છે. આ તપાસમાં જાણવા મળ્યું કે યુએસ બંધારણ સલામત વાતાવરણમાં છે.
અમેરિકાનું એક પાનાનું બંધારણ વોશિંગ્ટનમાં કોંગ્રેસના લાયબ્રેરી ખાતે આવેલા હેલિયમ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવ્યું છે. આ પછી ગેટ્ટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા ભારતની રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને ભારતના સંસદ વચ્ચે ભારતમાં ગેસ ચેમ્બર બનાવવાની સમજૂતી થઈ હતી.
ભારતીય સંવિધાન આકારમાં મોટું અને ભારે છે. આ માટે ચેમ્બર મોટું છે. તેમાં હિલીયમ ગેસ રોકવાની તમામ કોશિશ બેકાર થઈ તો નાઈટ્રોજન ગેસનું ચેમ્બર બનાવવામાં આવ્યું હતું.
કાગળની સુરક્ષા માટે આ ગેસની જરૂર હતી. જે ઈનર્ટ એટલે કે નોન રિએક્ટિવ હોય. નાઈટ્રોજન પણ એક આવો જ ગેસ છે.
ભારતીય સંવિધાન કાળી શાહીથી લખાયું છે. જજે સરળતાથી ઉડી શકે છે. તેને બચાવવા માટે હ્યુમિડિટી 50 ગ્રામ પ્રતિ ઘન મીટરની આસપાસ હોવી જરૂરી છે. સંવિધાનને માટે એરટાઈટ ચેમ્બર બનાવવામાં આવી છે.
હ્યુમિડિટી જાળવી રાખવા માટે ચેમ્બરમાં ગેસ મોનિટર લગાવવામાં આવ્યા છે. આ ચેમ્બરનો નાઈટ્રોજન ગેસ ખાલી કરવામાં આવે છે અને સંવિધાનની તપાસ કરતા રહેવામાં આવે છે.
દર 2 મહિને આ ચેમ્બરનું ચેકિંગ કરવામાં આવે છે. સીસીટીવી કેમેરાથી સંવિધાન ચેમ્બર પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે.