ગણતંત્ર દિવસના અવસરે દેશભરમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ કડક સુરક્ષાની વચ્ચે પણ રવિવારે સવારે આસામના 2 જિલ્લામાં 4 જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ થયો છે.
આજે 71મો ગણતંત્ર દિવસ
ગણતંત્ર દિવસ પર આસામમાં થયા 4 બ્લાસ્ટ
પહેલા 3 ડિબ્રૂગઢ અને પછી ચરાઈદેવીમાં થયા બ્લાસ્ટ
Assam DGP Bhaskar Jyoti Mahant: We have received the information about the explosion in Dibrugarh. An investigation has begun, it is being probed that who is involved in this. https://t.co/jIIToDOLlZ
રાજ્યમાં ગ્રેનેડની મદદથી 3 બ્લાસ્ટ ડિબ્રૂગઢ જિલ્લામાં તો એક બ્લાસ્ટ ચરાઈદેવીમાં કરવામાં આવ્યો હતો. હાલ સુધી આ બ્લાસ્ટમાં કોઈને ઈજાની કે જાનહાનિના કોઈ સમાચાર નથી.
Assam: An explosion has taken place at a shop near NH 37 at Graham Bazaar in Dibrugarh. Police and other officers have reached the spot. More details awaited. https://t.co/7v6gghmBVtpic.twitter.com/2SrLpcwgxA
આ બ્લાસ્ટ ડિબ્રૂગઢના ગ્રાહમ બજારના નેશનલ હાઈવે 37ની પાસે એક દુકાનમાં થયો હતો. અન્ય બ્લાસ્ટ આસામના ચરાઈદેવી જિલ્લામાં સોનારી વિસ્તારમાં થયો હતો. આ સિવાય ડિબ્રૂગઢમાં એક ગુરુદ્વારાની પાસે પણ બ્લાસ્ટ થયો હતો.
પોલીસ તપાસ થઈ શરૂ
આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું કે અમને ડિબ્રૂગઢના બ્લાસ્ટની જાણકારી મળી હતી. તપાસ શરૂ કરવામાં આવી છે અને અહીં તપાસ કરવામાં આવી રહી છે કે આ બ્લાસ્ટ પાછળ કોણ લોકો જવાબદાર છે.