પ્રોજેક્ટમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાતી હોવાથી રજૂઆત
ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો આવાર-નવાર રજૂઆત કરી રહ્યાં છે. ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોને વિવિધ બાબતોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવો ખેડૂતો આક્ષેપો પણ કરી રહ્યાં છે. ભારતમાલા પ્રોજેક્ટએ મોદી સરકારોનો વાહન વ્યવહાર સરળ બનાવવા માટે સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. જે પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગર કલેક્ટરને ખેડૂતોએ રજૂઆત કરી છે.
ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ
ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાતી હોવાથી રજૂઆત કરાઈ છે. પ્રોજેક્ટ માટે ખોટો રિપોર્ટ તૈયાર કરાયાનો પણ ખેડૂતોનો આરોપ છે. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ માટે ખેડૂતોની ફળદ્રુપ જમીનને બંજર દર્શાવાઈ છે. જે જમીન પર ત્રણ પાક લેવાઈ રહ્યા છે તે જમીનને બંજર દર્શાવાઈ છે. ખોટો રિપોર્ટ તૈયાર કરી પ્રોજેક્ટ લાવવામાં આવતો હોવાથી રજૂઆત કરાઈ છે. ભારતમાલા પ્રોજેક્ટને કારણે ઘણાં ખેડૂતો જમીન વિહોણા થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ગાંધીનગરના કયા તાલુકાના કેટલા ગામ થશે પ્રભાવિત ?
ઉનાવા તાલુકાના 17 ગામ થશે પ્રભાવિત
કલોલ તાલુકાના 14 ગામ થશે પ્રભાવિત
દહેગામ તાલુકાના 12 ગામ થશે પ્રભાવિત
માણસા તાલુકાના 10 ગામ થશે પ્રભાવિત
ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ ક્યાં ?
ગાંધીનગર
નવસારી
બનાસકાંઠા
મહેસાણા
અમદાવાદ
ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કેમ છે?
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ એક્સપ્રેસ વે બનાવાની યોજના છે. દેશના મોટા શહેરોને જોડવા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થશે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમજ પ્રોજેક્ટ લાગુ કરવા ખોટા રિપોર્ટ તૈયાર કરાયા હોવાની ખેડૂતોની રજૂઆત છે. પ્રોજેક્ટ લાગુ કરવા ફળદ્રુપ જમીનને પણ બંજર દર્શાવાઈ છે તેમજ અનેક જગ્યાએ પ્રોજેક્ટના મેપ પણ બદલવામાં આવ્યા છે. પ્રોજેક્ટ લાગુ થતા ખેડૂતોની ફળદ્રુપ જમીન જતી રહેવાનો ડર છે તેમજ ખેડૂતો જમીન વિહોણા થાય તેવી ભીતિ પણ છે.