સૂત્રોના જણાવ્યા અનુસાર શિખર ધવન ઇજાગ્રસ્ત થવાને કારણે રિષભ પંતને પહેલાથી જ કહી દીધું છે કે એ જલ્દીથી જલ્દી ઇંગ્લેન્ડ જવા માટે તૈયાર છે.
ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઇજાગ્રસ્ત થયા બાદ દિલ્હીનો બેટ્સમેન રિષભ પંતને એની જગ્યા લેવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યો છે. જો કે ધવનને ટીમથી બહાર કરવામાં આવ્યો નથી અને તે ઇંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઇની મેડિકલ ટીમ આ દરમિયાન એની દેખરેખ રાખશે.
જો કે બીસીસીઆઇએ પંતના નામની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરી નથી. એને આશા છે કે ધવન 2 થી 3 સપ્તાહમાં ઠીક થઇ જશે.
IPL 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રિષભે બધાને ચોંકાવી દીધા હતા. વર્લ્ડ કપ ટીમમાં એની પસંદગી ના થવા પર રિકી પોન્ટિંગ સહિત ઘણા મોટા ક્રિકેટરો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. હવે જ્યારે એક વખત ફરીથી ટીમ ઇન્ડિયામાં જગ્યા ખાલી થઇ છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે રિષભને તક મળી શકે છે. વર્લ્ડકપ માટે 15 એપ્રિલે પસંદ કરવામાં આવેલી ટીમમાં પંતને જગ્યા આપવામાં આવી નહતી. એની જગ્યાએ અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકને ચાન્સ આપવામાં આવ્યો. દિલ્હી કેપિટલ્સ માટે રમી ચુકેલા પંત શરૂઆતમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં થાય. ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ જ પંતને તક મળે એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ઓસ્ટ્રેલિયાની સાથે થયેલ વર્લ્ડકપમાં શાનદાર 117 રન બનાવ્યા હતા અને મેન ઑફ ધ મેચ તરીકે પસંદગી થઇ. ભારતે એ મેચ 36 રનોથી જીતી હતી.