શિવસેના નેતા અબ્દુલ સત્તારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી અબ્દુલ સત્તારે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું નથી.
અબ્દુલ સત્તારે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરને સોંપ્યું નથી
અબ્દુલ સત્તારે રાજીનામું શિવસેનાના એક નેતાને મોકલ્યું
એક મળતી જાણકારી મુજબ અબ્દુલ સત્તારને રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવતાં શિવસેનાના ઘણા નેતાઓ નારાજ હતા જેને લઇને અબ્દુલ સત્તારે રાજીનામું આપ્યું હોય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કેહાલમાં જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારમાં 36 નવા મંત્રીઓએ શપથ લીધી હતી, જેમાં એક ઉપ મુખ્યમંત્રી, 25 કેબિનેટ અને 10 રાજ્ય મંત્રી સામેલ છે. કોંગ્રેસ અને NCP જ નહીં પરંતુ શિવેસનાએ પણ મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમાજને પોતાની સાથે રાખવા માટે પોતાના ક્વોટામાંથી મંત્રી બનાવાયાં હતા.
જો કે અબ્દુલ સત્તાર રાજ્યમંત્રી બનાવામાં આવતા તેમજ મંત્રી પદને લઇને નારાજ હોવાનું જાણવા મળ્યું છે. અબ્દુલ સત્તારે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બદલે શિવસેનાના એક નેતાને મોકલ્યું છે.