એક તરફ કોરોના વાયરસનો કહેર છે તો બીજી તરફ ગરમીની મોસમ જામી પડી છે. ત્યારે એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જો આપણ આગામી 50 વર્ષમાં ન સુધર્યા તો 120 કરોડ લોકોએ ભયાનક ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ ગરમી રણમાં પડતી હોય તેવી ગરમી હશે.
આવું માત્ર એટલા માટે હશે કારણ કે, વૈશ્વિક તાપમાન વધી જશે કારણ હશે પ્રદુષણ, વૃક્ષોનું છેદન અને ગ્લોબલ વોર્મિંગ. જેના કારણે ભારત, પાકિસ્તાન નાઇઝીરિયા સહિત 10 દેશો આ ઘટનાથી મુક્ત નહીં રહે.
બ્રિટેનની એક્સેટર યુનિવર્સિટીના સંશોધક ટિમ લેન્ટરને જણાવ્યું કે, જ્યારે મેં આંકડા જોયા ત્યારે હું દંગ રહી ગયો. મેં ઘણીવાર ચેક કર્યું છે પરંતુ આંકડા ઉડીને આંખે વળગી રહ્યા હતા. ગ્લોબલ વોર્મિગનો ભય માનવીઓને જ વધારે છે.
નેશનલ એકેડમી ઓફ સાયન્સિસમાં પ્રસિદ્ધ થયો અહેવાલ
નેશનલ એકેડમી ઓફ સાયન્સિસમાં પ્રકાશિક ટિમ લેન્ટનના રિપોર્ટ પ્રમાણે માનવી અત્યાર સુધી એ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં ન્યૂનતમ તાપમાન 6 ડિગ્રી હોય અને લધુતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ હોય અને આમાં જો વધઘટ થાય તો તકલીક થવા લાગે છે.
સદીના અંત સુધીમાં ગરમીનો પારો પહોંચી શકે આસમાને
પરંતુ હવે વિશ્વના ઘણા દેશોમાં, જમીન સમુદ્ર કરતા ઝડપથી ગરમ થઈ રહી છે. એટલે કે, આ સદીના અંત સુધીમાં, જ્યારે વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારે માણસોને વિવિધ દેશો અને ત્યાંના હવામાન અનુસાર 7.5 ડિગ્રી સુધી વધુ તાપમાનનો સામનો કરવો પડશે.
ભારતમાં ગરમીનો પારો 55 ડિગ્રી પહોંચી શકે
એટલે કે, જો તમે ભારતમાં રહો છો અને ઉનાળામાં તાપમાન 48 ડિગ્રી સુધી જાય છે, તો આ સદીના અંત સુધીમાં, આ તાપમાન 55 અથવા 56 ડિગ્રી સુધી વધી શકે છે. પરંતુ અહીં સરેરાશ તાપમાનની બાબતમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મુજબ, વિશ્વની 30 ટકા વસ્તી ખૂબ ઉંચા તાપમાને જીવી શકે છે.
રણમાં હોય છે આટલું ઊંચુ તાપમાન
ઉનાળાની મોસમમાં 55 અથવા 56 ડિગ્રી તાપમાન સહારા રણમાં સામાન્ય છે. આ સદીના અંત સુધીમાં, જ્યારે પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધશે, ત્યારે ભારત, નાઇજીરીયા, પાકિસ્તાન સહિતના ઘણા દેશોના નાગરિકોને ગરમીથી તકલીફ પડશે.