કોરોના વાયરસના સંક્રમણને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે જે લોકોના શરીરે આ સંક્રમણની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવી લીધા છે તેમને ફરી વખત કોરોના સંક્રમણનો ખતરો રહેતો નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકાના સિએટલથી એક માછલી પકડવા જહાજ નીકળ્યું હતું. તેમાં એવા 3 લોકો હતા. આ રિપોર્ટ તેમના નીકળતા પહેલાં અને નીકળ્યા બાદ લેવાયેલા એન્ટીબોડીની સાથે આરટી-પીસીઆર ટેસ્ટના આધારે તૈયાર કરાયો છે. સમુદ્રમાં 18 દિવસ સમયે જહાજમાં 122 સભ્યોમાંથી 104 એક જ સોર્સથી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.
કોરોનાને લઈને આવ્યો નવો રિપોર્ટ
એક વખત કોરોના થયા બાદ શરીરમાં તૈયાર થાય છે એન્ટીબોડી
ફરી વખત કોરોનાનું સંક્રમણ થવાનો ખતરો રહેતો નથી
આ શોધ શુક્રવારે પ્રીપ્રિંટ સર્વર મેડરિસ્કમાં છપાયો હતો. તેને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન અને સિએટલના ફ્રેડ હચ કેન્સર રિસર્ચ સેન્ટરના શોધકર્તાએ તૈયાર કર્યો છે. તેમાં મહત્વનું તારણ એ છે કે તે એ ચીજોની નજીકથી તપાસ કરે છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની રસીનો ઉપયોગ કરવાની દુનિયાની મુખ્ય રણનીતિ મહામારી રોકવા માટે કામ કરે છે. શું બીમારીને રોકવા માટે એન્ટી બોડી પૂરતા છે અને આ નક્કી કરવું કે કેના લક્ષણ સામાન્ય છે કે તેનો કોઈ પ્રભાવ છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે કુલ 104 લોકોના આરટી- પીસીઆર પોઝિટિવ વાયરલ ટેસ્ટ થયા, આ સમુદ્રી જહાજમાં સંક્રમણના હુમલાને 85.2 ટકા વધારે છે. સમુદ્રી જહાજમાં ફક્ત 3 લોકોની સીરોલોજિકલ તપાસ થઈ હતી. તેમાં કહેવાયું કે પહેલાં સંક્રમણનો શિકાર થઈને સાજા થયેલા છે તેમને ફરી સંક્રમણ થયું નથી. એટલું જ નહીં તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.