હીરાસર એરપોર્ટમાં રનવેનું કામ 46 ટકા જેટલું પૂર્ણ, અત્યાર સુધીમાં રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રનવે બની ચૂક્યો, જ્યારે કે 1400 મીટરનો રનવે બનવાનો બાકી
હીરાસર એરપોર્ટના રનવેનું કામકાજ 46 ટકા પૂર્ણ
રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રનવે બની ચૂક્યો
ઓગસ્ટ 2022 સુધીમાં એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ ફ્લાઇટ પણ શરૂ થઈ જશે
ગુજરાતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટના હીરાસર ખાતે નિર્માણ પામી રહ્યું છે. ત્યારે હીરાસર એરપોર્ટમાં રનવેનું કામ 46 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. અત્યાર સુધીમાં રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રનવે બની ચૂક્યો છે. જ્યારે કે 1400 મીટરનો રનવે બનવાનો બાકી છે. તેમજ 500 મીટરનો બોક્ષ કન્વર્ટ રનવે બનવાનો પણ બાકી છે. ત્યારે બિલ્ડિંગ ટર્મિનલનું ટેન્ડર પણ પાડવામાં આવ્યું છે. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધીમાં એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ ફ્લાઇટ પણ શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર નજીક 1025 હેક્ટર જમીનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથેનું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટના નિર્માણ કાર્યના પ્રથમ ફેઝનું કામ અંદાજિત 670 કરોડનું છે. 2 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે જ્યારે કે ટર્મિનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા પેજમાં કરવામાં આવશે. જે કામ કાજ ટૂંક સમયમાં જ શરૂ કરી ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ એક અંદાજ મુજબ 2023ના માર્ચ મહિનામાં પ્રોજેક્ટ તમામ કામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવશે.