કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ સવર્ણને 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા EWS reservations મુદ્દે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા.
EWS reservations નો મુદ્દો
ગરીબ સવર્ણને 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત
સભ્યોની કમિટી દ્વારા 90 પાનાંનો રિપોર્ટ તૈયાર
NEETની પરીક્ષા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ સવર્ણને 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરાઇ હતી. જેને સુપ્રીમમાં પડકારવામાં આવી હતી. જેને લઈને હવે 3 સભ્યોની કમિટી દ્વારા 90 પાનાંનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
90 પાનાનો પોતાનો અહેવાલ
ગરીબ સવર્ણ જાતિઓ માટે અનામતના ધોરણોની સમીક્ષા કરવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ 90 પાનાનો પોતાનો અહેવાલ તૈયાર કર્યો છે. તેને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકો (EWS) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે NEET એડમિશનમાં 10 ટકા EWS ક્વોટા આપવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, ત્યારે અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આવી સ્થિતિમાં, સરકારે સમીક્ષા માટે 30 નવેમ્બરના રોજ એક સમિતિની રચના કરી હતી.
સુપ્રીમમાં પડકરાઈ હતી અરજી
ગરીબ સવર્ણને 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત બાદ તેને કેટલાક લોકો દ્વારા સુપ્રીમમાં અરજી કરી પડકારવામાં આવી હતી. સુપ્રીમમાં અરજી થયા બાદ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક સવાલો કર્યા હતા.
8 લાખ સુધી વાર્ષિક આવકના લોકોને લાભ
આ સવાલો બાદ 30 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા 90 પાનાનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 8 લાખ સુધી વાર્ષિક આવકના લોકોને લાભ આપવા માટેની ભલામણને યથાવત રાખવામાં આવી છે.
જો કે UPSC અને JEEના ડેટા માં પરીક્ષા આપનારા વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાની નીચે હોવાનું સામે આવ્યું હતું. NEET 2020 માં EWS ક્વોટામાંથી લાભ લેનાર 91% વિદ્યાર્થીઓની વાર્ષિક આવક 5 લાખ કરતાં પણ ઓછી હતી.
2019 માં નોટિફિકેશન જાહેર કરાયું
સરકાર દ્વારા ગરીબ સવર્ણને શિક્ષણ સંસ્થાન અને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ આપવા માટે જાહેરાત કરાઇ હતી. સરકાર દ્વારા 2019 માં EWS ક્વોટા માટે ગાઈડલાઇન્સ સાથે નોતીફએક્શન જાહેર કરવામાં આવ્યું હતું.