ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે અમર્યાદિત શબ્દોના પ્રયોગ કરવાના આરોપમાં ભાજપ નેતાએ રામપુર સિવિલ લાઈન્સ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આકાશ સકસેનાની ફરિયાદના આધારે પોલીસે કુરૈશી પર રાજદ્રોહની કલમ 124 એ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
યુપીના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે નોંધાયો રાજદ્રોહનો કેસ
રાજ્યપાલે યોગી સરકારની તુલના શેતાન સાથે કરી
ભાજપ નેતા આકાશ સકસેનાએ કુરૈશી પર લગાવ્યો આરોપ
ભાજપના નેતાએ પૂર્વ રાજ્યપાલ પર કર્યો આક્ષેપ
પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી શનિવારે રાત્રે સાંસદ આઝમ ખાનના ઘરે ગયા હતા. ભાજપ નેતા સકસેનાએ આરોપ લગાવ્યો છે કે લોકોની ઉપસ્થિતિમાં પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશીએ ઉત્તર પ્રદેશની યોગી સરકારની તુલના શેતાન સાથે કરી હતી. સરકારની સામે અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ સાથે જ સરકાર અને આઝમ ખાનની લડાઈને માણસ અને શેતાનની લડાઈ કહી હતી. આરોપ છે કે પૂર્વ રાજ્યપાલનું નિવેદન બે સમુદાયો વચ્ચે વેરની ભાવના અને ભડકાવનારું છે તથા જાણી જોઈને કલંક લગાવવવુ અને સમાજમાં અશાંતિ ઉભી કરવાની શ્રેણીમાં આવે છે.
પોલીસે ફરિયાદના આધારે રિપોર્ટ નોંધ્યો
અજીજ કુરૈશી દ્વારા આપવામાં આવેલુ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેનાથી રામપુરનો માહોલ ડહોળાઈ જવાની પૂર્ણ આશંકા છે. પોલીસે ફરિયાદના આધારે પૂર્વ રાજ્યપાલની સામે આઈપીસીની કલમ 1153એ, 153બી, 124એ, 502 (1) હેઠળ રિપોર્ટ નોંધ્યો છે.
લોકો તમારી સાથે છે, વિજય તમારો નિશ્ચિત: અજીજ કુરૈશી
શનિવારે રાત્રે આઝમ ખાનના નિવાસ પર પહોંચેલા પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોરોનાના કારણે તેઓ દોઢ વર્ષથી ઘરમાંથી બહાર નિકળ્યાં નથી. પરંતુ આજે પોતાની ભાભી (આઝમ ખાનની પત્ની તજીન ફાત્મા)ની પાસે આવ્યો છુ. હવે ભાભીને કહેવા આવ્યો છુ કે તમે હિંમત રાખો. લોકો તમારી સાથે છે. વિજય તમારો થશે. તેમણે કહ્યું કે, સરકારે આઝમ ખાન પર અત્યાચાર કર્યો છે. જે રીતે તેમની પર દમન કરવામાં આવ્યું છે. તેમના માટે કશું કહેવાની જરૂર નથી.