કાશ્મીરમાંથી કલમ 370 હટી ગયા બાદ હવે અમિત શાહ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે શ્રીનગરના લાલ ચોક પર ત્રિરંગો લહેરાવી શકે છે. તેવી અટકળો વહેતી થઇ છે. જો કે, ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ આગામી 16 અને 17 ઓગસ્ટના રોજ અમિત શાહ લદ્દાખની મુલાકાતે જવાના છે.
જમ્મૂ-કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને જમ્મૂ-કશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહની આ પ્રથમ યાત્રા હશે. જોકે પોલીસ અધિકારીઓએ અમિત શાહની શ્રીનગર મુલાકાત મામલે કોઈ પુષ્ટિ કરી નથી. સૂત્રોનું માનીએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ હજુ પણ ખીણ પ્રદેશમાં છે.
લદ્દાખના પ્રવાસે જશે અમિત શાહ
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે કલમ 370 હટાવવાની સાથો-સાથ જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરીને બંન્નેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો છે. જો કેન્દ્રિય મંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ ચોક જઇ તિરંગો ફરકાવે છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારનું ઐતિહાસિક પગલું રહેશે. શ્રીનગર બાદ અમિત શાહ 16 અને 17 ઓગસ્ટના રોજ લદ્દાખના પ્રવાસે જશે.
ત્યારે પ્રધાનમંત્રી મોદીને પણ મળી હતી ધમકીઓ છતા લાલ ચોકમાં લહેરાવ્યો તિરંગો
અહેવાલો અનુસાર, કેન્દ્ર 15 ઓગસ્ટના કાર્યક્રમ માટેની તૈયારીઓ અંગે આંતરિક ચર્ચા કરી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાલમાં ખીણની મુલાકાતે છે. આ પહેલા, પાકિસ્તાનના આતંકી સંગઠનો દ્વારા ધમકી મળી હોવા છતાં 26 જાન્યુઆરી 1992 ના રોજ, ભાજપના તત્કાલીન અધ્યક્ષ મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી (તત્કાલીન આરએસએસ પ્રચારક) શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવામાં સફળ રહ્યા હતા.
નહેરુએ સૌ પ્રથમ વખત લહેરાવ્યો હતો તિરંગો
આપનો જણાવી દઇએ કે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 1948 માં પ્રથમ વખત લાલ ચોક પર ત્રિરંગો લહેરાવ્યો હતો, ત્યારથી આ સ્થાનનું મહત્વ વધુ વધી ગયું હતું. બીજી તરફ એનસીપી નેતા મજીદ મેમને આર્ટિકલ 370 હટાવ્યા પછી શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવવાના વિચારનો વિરોધ કર્યો છે.
મેમને કહ્યું, 'કેન્દ્ર સરકારે કાશ્મીરીઓ પર પોતાના નિર્ણયને થોપી દીધો છે. તેમણે કહ્યું કે કાશ્મીરીઓની વાતન પણ સાંભળવી જોઈએ. તેણે કહ્યું, 'અમિત શાહ બધું કરવાની ઉતાવળમાં કેમ છે?'
નીતીશ કુમારે કર્યુ સમર્થન
બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે લાલ ચોક પર તિરંગો લહેરાવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. જણાવી દઇએ કે, સંસદમાં કલમ 370 હટાવવાનો વિરોધ કર્યા પછી જેડીયુ બે અલગ અલગ જૂથોમાં વહેંચાયેલો હતો.
પાર્ટીના ઘણા નેતા નીતીશ કુમારના પક્ષથી નારાજ હતા. ત્યારબાદ, નીતિશ કુમારની ખૂબ નજીકના ગણાતા આરસીપી સિંહે ખુલીને કહ્યું હતું કે હવે તે કાયદો બની ગયો છે અને કાયદો આખા દેશમાં લાગુ થાય છે. આવી સ્થિતિમાં, આપણે બધાએ તેનું પાલન કરવું જોઈએ.