દિલ્હીની એક કોર્ટે 2012ના નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચાર દોષિતોની ફાંસી સોમવારે આગામી આદેશ સુધી ટાળી દીધી છે. ચારેય દોષિતોને મંગળવારે સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી. નિર્ભયા કેસના ગુનેગાર પવન કુમાર ગુપ્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી હતી. જો કે, રાષ્ટ્રપતિ દ્વારા તેને ફગાવી દેવામાં આવી છે.
દિલ્હીની એક કોર્ટે 2012ના નિર્ભયા કેસના ચાર દોષિતોની ફાંસી સોમવારે આગામી આદેશ સુધી ટાળી દીધી
કોર્ટ દોષિતોને ફાંસી આપવાના પોતાના જ નિર્ણયને પૂર્ણ કરવામાં વિલંબ કરી રહી છે : નિર્ભયાના માતા
નિર્ભયાના પિતાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, આ ફાંસી ત્રીજી વાર ટળી છે પરંતુ ચોથી વાર નહીં ટળે
માતાએ કહ્યું, દોષિતોનું સમર્થન કરે છે સિસ્ટમ
કોર્ટના આ આદેશ પર નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે આખરે કેમ કોર્ટ દોષિતોને ફાંસી આપવાના પોતાના જ નિર્ણયને પૂર્ણ કરવામાં વિલંબ કરી રહી છે. આશા દેવીએ આરોપ લગાવ્યો છે કે દોષિતોની સતત ટળી રહેલી ફાંસી સિસ્ટમની નિષ્ફળતા બતાવે છે. આપણી આખી સિસ્ટમ દોષિતોનું સમર્થન કરે છે. તેઓએ કહ્યું કે 15 દિવસોમાં દોષિતો તરફથી કોઇ અરજી દાખલ કરવામાં આવી નથી. આ લોકો સિસ્ટમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
પિતાએ કહ્યું કે ચોથી વાર નહીં ટળે નિર્ણય
જ્યારે નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું છે કે આ સિસ્ટમ છે જો કોઇ અરજી કરવામાં આવી છે તો તેને સાંભળવી પડશે. નિર્ભયાના પિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ફાંસી ત્રીજી વાર ટળી છે પરંતુ ચોથી વાર નહીં ટળે. બદ્રીનાથ સિંહે પોતાની પત્ની અને નિર્ભયાની માતા આશા દેવીને લઇને કર્યું કે તે એક માતા છે. તેમના દુ:ખને કોઇ સમજી શક્યું નથી, અમે પણ સમજી શક્યા નથી, તેમને સમજાવતા રહીએ છીએ કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
તેઓએ કહ્યું કે, ન્યાય જરૂર મળશે પરંતુ માતાનું દુ:ખ હું પિતા હોવા છતા નથી સમજી શક્યો. નિર્ભયાના પિતાનું કહેવું છે કે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ચોથી વાર જે તારીખ નક્કી કરવામાં આવશે તે આરોપીઓનો અંતિમ દિવસ હશે.