જ્યોતિષશાસ્ત્રમાં ઘણી વસ્તુઓ દર્શાવી છે જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે અને ઘણી એવી વસ્તુઓનું ઘરમાં હોવું માણસની બરબાદીનું કારણ બની જાય છે
ઘણી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે
સારી કમાણી હોય તો પણ આ વસ્તુઓના લીધે પૈસા ટકશે નહી
બેડરૂમ અથવા ડ્રોઇંગ રૂમમાં મહાભારત કે તાજમહેલનો ફોટો ન રાખો
આટલી વસ્તુઓનું ધ્યાન રાખો
તમે એવા ઘણા પરેશાન લોકો જોયા હશે જેમનું દુઃખ પીછો છોડવાનું નામ પણ નથી લેતું. લાખ પ્રયત્નો કરવા છતાં તેમને ગરીબી ઘેરી લે છે. સારી કમાણી હોવા છતાં પૈસા હાથમાં ટકતા નથી. ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહે છે. છેવટે આ બધાનું કારણ શું છે? જ્યોતિષી મનુષ્યની આ કમનસીબીને પોતાની કેટલીક ભૂલો સાથે જોડી દીધી છે. તેમનું કહેવું છે કે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ માણસના દુર્ભાગ્યનું કારણ બને છે.
મહાભારતના ફોટાઓ
જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આપણા ઘરમાં ક્યાંય પણ મહાભારતની તસવીરો ન હોવી જોઈએ. ઘરમાં તેમની હાજરીથી ઝઘડા, વાદ-વિવાદ અને તણાવનું વાતાવરણ સર્જાય છે. તમારા બેડરૂમ અથવા ડ્રોઇંગ રૂમમાં આવા ચિત્રો ક્યારેય ન લગાવો.
તાજમહેલ
ઘરમાં તાજમહેલની તસવીર પણ ક્યારેય ન રાખવી જોઈએ. તાજમહેલ બેગમ મુમતાઝનો મકબરો છે. ઘરમાં મકબરાની તસવીર કે પેન્ટિંગ રાખવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધે છે.
ગૂંચવાયેલા તાર
ઘરમાં ક્યારેય પણ વાયરને ગૂંચવાયેલા કે ફસાયેલા ન રાખવા જોઇએ. લેપટોપ કે સ્માર્ટફોનના ચાર્જરના વાયર પણ આ રીતે ન રાખવા જોઈએ. આવું થવા પર ઘરની સકારાત્મક ઉર્જા પણ ગૂંચવાઈ જાય છે.
સુકાઈ ગયેલા ફૂલો
આપણા ઘરમાં ક્યારેય સુકાયેલા ફૂલ ન હોવા જોઈએ. તમારા બેડરૂમ અથવા ડ્રોઇંગ રૂમમાં રાખેલા છોડની સારી સંભાળ રાખો. ધ્યાનમાં રાખો કે તેમાં રહેલા ફૂલો ક્યારેય સુકાઈ ન જાય. ઘરમાં સુકાયેલા ફૂલ અશુભતાનું પ્રતીક છે.
નળમાંથી ટપકતું પાણી
ઘરના નળમાંથી ટપકતું પાણી માનવની બરબાદીનું સંકેત હોઈ શકે છે. જો તમારા રસોડા કે બાથરૂમમાં નળ આપોઆપ લીક થઈ જાય તો તે અપશુકનિયાળ સંકેત છે. આવી વસ્તુઓને બને તેટલી ઝડપથી રિપેર કરી લો.
અટકેલું પાણી
જો તમારા ઘર કે ઘરની આસપાસ કોઈ એવી જગ્યા છે જ્યાં પાણી રોકાય રહે છે, તો આવી જગ્યાઓને તરત જ ઠીક કરી દો. ઘરના રસોડા, બાથરૂમ કે આંગણામાં પાણી ભરાવું ખૂબ જ અશુભ છે. આ ઘરની આર્થિક સમૃદ્ધિમાં વિકારનો સંકેત છે.