દરેક વ્યક્તિને આશા છે કે Budget 2022માં રિન્યુએબલ એનર્જીને લઇને સરકાર મોટી જાહેરાત કરી શકે છે. મોદી સરકારનું ધ્યાન ક્લીન એનર્જી પર છે. સરકાર પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. જેના માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પર ભાર અપાઈ રહ્યો છે.
Budget 2022માં રિન્યુએબલ એનર્જીને લઇને સરકાર કરી શકે મોટી જાહેરાત
2030 સુધી લગભગ 10 લાખ લોકોને રોજગાર આપવાની ક્ષમતા
સૌથી વધુ નોકરીઓ લઘુ સ્તરની અક્ષય ઉર્જા પરિયોજનાઓથી ઉભી થશે
રિન્યુએબલ એનર્જીને લઇને સરકારની મોટી યોજનાઓ
2070 સુધી નેટ ઝીરો કાર્બન ઈમિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રિન્યુએબલ એનર્જીને લઇને સરકારની મોટી યોજનાઓ છે. એક રિપોર્ટ મુજબ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 2030 સુધી લગભગ 10 લાખ લોકોને રોજગાર આપવાની ક્ષમતા છે. રિપોર્ટ મુજબ, આ ક્ષેત્રમાં સૌથી વધુ નોકરીઓ લઘુ સ્તરની અક્ષય ઉર્જા પરિયોજનાઓથી ઉભી થશે. હાલમાં આ સેગમેન્ટમાં 1.1 લાખ લોકોને રોજગાર મળ્યો છે. જો આ સેગમેન્ટનો યોગ્ય વિકાસ થયો હોય તો આગામી 8 વર્ષોમાં દસ ગણો વધુ રોજગાર ઉભો થશે.
2030 સુધી લગભગ 10 લાખ લોકોને રોજગાર મળી શકે
ઉર્જા, પર્યાવરણ અને જળ પરિષદ, પ્રાકૃતિક સંસાધન સંરક્ષણ પરિષદ અને ગ્રીન એમ્પ્લોયમેન્ટ માટે કૌશલ્ય પરિષદ દ્વારા ગુરૂવારે જાહેર સ્વતંત્ર અભ્યાસમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, દેશનું રિન્યુએબલ એનર્જી સેક્ટર આંશિક રીતે 2030 સુધી લગભગ 10 લાખ લોકોને રોજગાર આપી શકે છે. આ ક્ષેત્ર દ્વારા પહેલા લગાવવામાં આવેલા 1.1 લાખના અનુમાનથી વધુ દસ ગણુ વધારે છે.
મહામારીના કારણે રિન્યુએબલ એનર્જી સેક્ટર પર ખરાબ પ્રભાવ
CEEW-NRDC-SCGJ વિશ્લેષણે અક્ષય ઉર્જા ક્ષેત્રમાં રોજગાર પર મહામારીના પ્રતિકૂળ પ્રભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2020-21માં મોટાભાગના નવા કર્મચારી ધાબા પર લગાવવામાં આવતી સોલર શ્રેણીમાં કામ કરી રહ્યાં હતા. નાણાંકીય વર્ષ 2019-20ની તુલનામાં આ ક્ષેત્રની ક્ષમતા વાર્ષિક નવ ટકા વધી છે.
કોરોનાના કારણે નવી ભરતીમાં થયો ઘટાડો
રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2019માં આ સેક્ટરમાં 12400 નવા કર્મચારીઓની ભરતી થઇ. તો નાણાંકીય વર્ષ 2020માં 5200 અને નાણાંકીય વર્ષ 2021માં 6400 નવા કર્મચારીઓની નોકરી લાગી છે. દેશમાં સૂર્યમિત્ર ટ્રેનિંગ કાર્યક્રમ હેઠળ 78 હજાર લોકોને ટ્રેનિંગ આપી છે. આ ટ્રેનિંગ 2015-2017ની વચ્ચે આપવામાં આવી છે. આવુ ક્લીન એનર્જી સેક્ટરમાં સ્કિલ્ડ લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.