લીંબુનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ખાવામાં કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક જ્યોતિષ અને તંત્ર ઉપાયોમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આજે એક જ્યોતિષ લીંબુ અને મરચાના ઉપાયો માટે જણાવી રહ્યા છીએ.
લીંબુ પર હનુમાનજીના પગનું સિંદૂર લગાવીને એને લાલ કપડામાં લપેટી લો. હવે જે વ્યક્તિ કે બાળકને ખરાબ નજર લાગી છે એના માથા પરથી ફેરવીને નદીમાં પ્રવાહિત કરી દો. એનાથી નજર ઊતરી જાય છે.
જો તમે કોઇ ખાસ કામ માટે જઇ રહ્યા છો તો લીંબુની ઉપર 4 લવિંગ ભરાવી દો અને ऊं श्री हनुमते नम: મંત્રનો 108 વખત જાપ કરીને લીંબુને તમારી સાથે લઇને જાવ. કામમાં સફળતા મળવાના ચાન્સ વધી શકે છે.
ઘર અથવા દુકાનની બહાર લીંબુ-મરચાં લગાવવાથી ખરાબ નજર લાગતી નથી. આવું દર શનિવારે કરવું જોઇએ. સાથે લીંબુ પર હનુમાનના પગનું સિંદૂર પણ લગાવો.
જો કોઇ વ્યક્તિ પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ છે તો 1 લીંબુ એની ઉપરથી 7 વખત ઊતારીને કોઇ ચાર રસ્તા પર જઇને કાપીને ત્યાંજ ફેંકી દો. પછી પાછળ ફર્યા વગર સીધા ઘરે આવી જાવ.
જો તમારી દુકાન ચાલી રહી નથી તો લીંબુ એક દિવસ માટે દુકાનમાં આવી જગ્યા પર રાખો જ્યાં એ કોઇની નજરમાં ના આવે અને સાંજે એના ચાર ટુકડા કરીને કોઇ ચાર રસ્તા પર ફેંકી આવો. વેપારમાં ઉન્નતિ થઇ શકે છે.