મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાને લઈને મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની મોટી ચેતવણી
મહારાષ્ટ્ર સરકાર 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવે
જો કોઈ મનસેને ધમકી આપશે તો અમે કંઈ હાથ બાંધ રાખ્યા નથી-રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. રવિવારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે લાઉડસ્પીકર ધાર્મિક નહીં પરંતુ સામાજિક મુદ્દો છે.
We don't want riots in Maharashtra. No one has opposed the offering of prayers. But if you (Muslims) do it on loudspeaker, then we'll also use loudspeakers for it. Muslims should understand that religion isn't bigger than the law.After May 3,I'll see what to do: Raj Thackeray,MNS pic.twitter.com/SwtsJIPiq5
મનસે પ્રમુખે કહ્યું છે કે લાઉડસ્પીકરમાંથી દિવસમાં પાંચ વખત અઝાન આવે તો દિવસમાં પાંચ વખત લાઉડ સ્પીકરથી હનુમાન ચાલીસાના પાઠ કરીશું. એક પક્ષ તરીકે તે કરવા માટે તૈયાર છે. અમે દેશમાં અશાંત વાતાવરણ ઊભું કરવા નથી માગતા કે અમને તેમાં રસ પણ નથી.
કોઈ ધમકી આપશે તો અમે હાથ બાંધી રાખ્યા નથી-રાજ ઠાકરે
રાજ ઠાકરેએ એવું પણ કહ્યું કે જો કોઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ધમકી આપી રહ્યું હોય તો તેમને હું કહેવા માગું છું કે અમે અમારા હાથ બાંધ્યા નથી. કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે તો હવે તેમને પણ જડબાતોડ જવાબ મળશે. જો તેઓ શસ્ત્રો સાથે હોય, તો તેઓએ યાદ રાખવું જોઈએ કે આપણે પણ એવું જ કરીશું.
અમિત શાહને પત્ર લખીને મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાની માંગ કરી
શનિવારે મનસેના નાસિક પ્રમુખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે.