સ્વતંત્રતા દિવસની ઉજવણી પર દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે સમસ્યાઓને પોષતા નથી અને ન તેને ટાળી દઇએ છીએ. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોની જન આકાંક્ષાઓ પૂરી થાય, આ આપણા બધાની જવાબદારી છે. તેમના સ્વપ્નને નવી પાંખો મળે, આ આપણી જવાબદારી છે.
જો ધારા 370 અને 35એ જો મહત્વપૂર્ણ હતી તો તેને 70 વર્ષમાં કેમ તેને કાયમી ન બનાવી. છેલ્લા 70 વર્ષમાં આ વ્યવ્સાથાએ આતંકવાદને જન્મ આપ્યો. રાજ્યમાં અલગાવવાદને બળ આપ્યું, પરિવારવાદનું પોષણ કર્યું. ભ્રષ્ટાચાર અને ભેદભાવના પાયાને મજબૂતી કરવાનું કામ કર્યું. ત્યાંની મહિલાઓ, દલિત સહિત કેટલીક જાતિઓના સપનાને કચડી નાંખવામાં આવ્યાં હતા. આજે અમે તેને આઝાદી આપવાનું કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું બધા રાજકીય પક્ષોમાંથી કોઇએક વ્યક્તિ છે જે ધારા 370 વિરુધ્ધ સીધી રીતે અથવા આડકતરી રીતે આ વિશે કંઇક કહ્યું હોય. પરંતુ જેઓ તેમની તરફદારી કરી રહેલા લોકોને દેશ પૂછી રહ્યો છે કે આ જો જરૂરી હતું તો 70 વર્ષમાં તમે તેને કેમ અસ્થાયી બનાવી રાખી હતી. તમે આગળ આવતા અને તેને કાયમી બનાવી દેતા, પરંતુ તમારામાં તે હિમ્મત નહોતી.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ આ મુદ્દો દરેક વખતે નજરઅંદાજ કરી દેવામાં આવતો હતો. નરેન્દ્ર મોદી સરકારે આ નિર્ણય લીધો, જેને મોદી સરકારના બીજા કાર્યકાળનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
PM Modi: Those who supported Article 370, India is questioning them, If this was so important then why was this Article not made permanent? After all, those people had huge mandates and could have easily removed its temporary status. #IndiaIndependenceDaypic.twitter.com/Sh6UOtz5YZ
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે આજે દરેક વ્યક્તિ ગર્વથી કહી શકે છે કે એક દેશ, એક સંવિધન. અમે સરદાર પટેલના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચારને આગળ ધપાવી રહ્યાં છીએ. GST દ્વારા અમે એક દેશ, એક ટેક્સનું સપનું પુરુ કર્યું. ઉર્જા ક્ષેત્રમાં એક દેશ, એક ગ્રિડને આગળ ધપાવ્યું. હવે જરૂરિયાત છે કે દેશમાં એક સાથે ચૂંટણીની પણ ચર્ચા થવી જોઇએ.