મૃત્યુ થયા બાદ લોકોની આત્મા સપનામાં દેખાય તે વાત તો આપણે સાંભળી છે પરંતુ 2400 વર્ષ બાદ લાશના પેટમાંથી ફ્રેશ ભોજન મળ્યું હોય તેવું ક્યારેય સાંભળ્યું છે ?
2400 વર્ષ પહેલા શખ્સે કરી હતી આત્મહત્યા
લાશની પેટમાંથી મળી આવ્યુ ભોજન
છેલ્લી વાર ખાધી હતી આ ચીજ
ડેનમાર્કના સિલ્કેબોર્ગ મ્યૂઝિયમમાં રાખેલી 2400 વર્ષ જૂની લાશના આંતરડામાંથી વૈજ્ઞાનિકોને અડધુ પચેલું ભોજન મળી આવ્યું છે. વૈજ્ઞાનિકો આ લાશ પર રિસર્ચ કરી રહ્યાં હતા ત્યારે તેમને આ વાતની જાણ થઇ અને બાદમાં સોશ્યલ મિડીયા પર આગની જેમ આ વાત ફેલાઇ ગઇ હતી.
2400 વર્ષ પહેલા આ રીતે થઇ હતી મોત
એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શખ્સની મોત 300ઇસા પૂર્વે ફાંસી લગાવવાના કારણે થઇ હતી અને આ લાશ 71 વર્ષ પહેલા જુટલેન્ડ પેનિનસુલામાં મળી આવી હતી. 2400 વર્ષથી આ શખ્સની લાશ એક બૉગમાં સુરક્ષિત છે.
શખ્સે છેલ્લી વાર ખાધી હતી આ ચીજ
રિસર્સમાં સામે આવ્યું કે મર્યાના 12-14 કલાક પહેલા આ વ્યક્તિએ છેલ્લી વાર કંઇક ખાધુ હશે. તે જ વસ્તુ તેના આંતરડામાં મળી આવી છે જે પૂર્ણ રીતે પચી નથી. શખ્સે માછલી અને અન્ય 2 વસ્તુઓ ખાધી હતી.
2400 વર્ષ બાદ કેવી રીતે સુરક્ષિત છે લાશ
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ વ્યક્તિની બૉડીનું અંતિમ સંસ્કાર કરવાની જગ્યાએ મમી તરીકે એક બૉગમાં રાખવામાં આવી હતી. બૉગ તેની ત્વચા, વાળ, નખ અને શરીરની અંદરના ઘણા અંગ હજારો વર્ષ સુધી ખરાબ થવાથી બચાવશે.