અમૃતા પ્રીતમ પ્રસિદ્ધ કવિયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર હતી. 20મી સદીની પંજાબી ભાષાની સર્વશ્રેષ્ઠ કવિયિત્રી હતી. આજે તેમની 100મી જન્મજયંતિ છે.
અમૃતા પ્રીતમનો જન્મ 31 ઓગસ્ટ 1919માં ગુજરાંવાલા પંજાબમાં થયો હતો. હાલમાં તે પાકિસ્તાન ગણવામાં આવી રહ્યું છે. તેમની 100મી જન્મજયંતિ પર ગૂગલે એક ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં એક છોકરી ડ્રેસ પહેરીને માથા પર દુપટ્ટો રાખીને કંઈક લખી રહી છે. અમૃતા પ્રીતમ તે સમયની જાણીતી લેખિકાઓમાંની એક હતી. આવો જાણીએ તેમની કેટલીક ખાસ રચનાઓ વિશે.
બાળપણથી જ હતો લખવાનો શોખ
અમૃતા પ્રીતમ જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારથી જ પંજાબીમાં કવિતા, વાર્તા અને નિબંધ લખવાનું શરૂ કર્યું.જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેમની માતાનો હાથ તેમના પરથી ઊઠી ગયો. માના નિધન બાદ તેમના પર અનેક જવાબદારીઓ આવી.
16 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું પહેલું સંકલન
અમૃતા પ્રીતમ વિરલ સાહિત્યકારોમાંના એક છે. જેમનું પહેલું સંકલન 16 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું હતું. 1947માં વિભાજનનો સમય આવ્યો અને તે સમયે તેઓએ અનેક રચનાઓ લખી જેમાં આ દર્દ જોવા મળે છે.
વિભાજન સમયે તેમનો પરિવાર દિલ્હીમાં આવીને વસ્યો હતો. હવે તેઓએ પંજાબીની સાથે સાથે હિંદીમાં લખવાનું શરૂ કર્યું. તેમના લગ્ન પણ 16 વર્ષની ઉંમરમાં એક સંપાદક સાથે થયા. ત્યારબાદ 1960માં તેઓ અલગ થઈ ગયા હતા. અમૃતા પ્રીતમે કુલ 100 જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં તેમની ચર્ચિત આત્મકથા 'રસીદી ટિકટ' સામેલ છે. અમૃતા પ્રીતમ એ સાહિત્યકારોમાં હતી જેમની કૃતિઓેને અનેક ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી છે.
સન્માન અને પુરસ્કાર
અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ છે 1956નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1958માં પંજાબ સરકારના ભાષા વિભાગ દ્વારા મળેલો પુરસ્કાર અને 1988માં બલ્ગરિયા વૈરોવ પુરસ્કાર તથા 1982માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર. તેઓ પહેલી મહિલા હતી જેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે તે પહેલી પંજાબી મહિલા હતી જેને 1969માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.
આ એવોર્ડથી સન્માનિત થયા છે
- સાહિત્ય એકેડેમી એવોર્ડ (1956)
- પદ્મ શ્રી (1969)
- ડોક્ટર ઓફ લિટરેચર (દિલ્હી યુનિવર્સિટી - 1973)
- ડોક્ટર ઓફ લિટરેચર (જબલપુર યુનિવર્સિટી - 1973)
- બલ્ગેરિયા વૈરોવ એવોર્ડ (બલ્ગેરિયા - 1988)
- ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ (1982)
- ડોક્ટર ઓફ લિટરેચર (વિશ્વ ભારતી શાંતિનિકેતન - 1987)