ઠંડીની સીઝનમાં ચ્યવનપ્રાશનું સેવન કરવું આરોગ્ય માટે ખુબ લાભદાયક છે. ચ્યવનપ્રાશ શિયાળામાં જ શા માટે ખાવામાં આવે છે અને તેનાથી આરોગ્યને શું ફાયદો થાય છે. કેમ વડીલો ઠંડીમા ચ્યવનપ્રાશ ખાવા અને ખવડાવવાનો આગ્રહ રાખતા હતા. સૌથી પહેલા તો ચ્યવનપ્રાશનુ રોજ સેવન શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને ઠંડીની આડઅસરોથી બચાવે છે. ચ્યવનપ્રાશ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને બીમારીઓ પણ દુર થાય છે. શરદી, ખાંસી, ફ્લુ અને કફ થયો હોય ત્યારે ચ્યવનપ્રાશ ખાવાનુ ફાયદાકારક છે. ઠંડીમા રોજ સવાર અને સાંજ ચ્યવનપ્રાશ ખાવાથી ઠંડીના લીધે થતી બિમારીઓ થતી નથી.
ઠંડીની સીઝનમાં ચ્યવનપ્રાશનું સેવન કરવું આરોગ્ય માટે ખુબ લાભદાયક છે.
ચ્યવનપ્રાશ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે
પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ ચ્યવનપ્રાશ રાહત આપે છે
પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ ચ્યવનપ્રાશ રાહત આપે છે. તેને રોજ ખાવાથી પાચનની બધી પરેશાનીઓ ખતમ થાય છે અને પાચનતંત્ર મજબુત બને છે. ચ્યવનપ્રાશમાં આંબળા અને અન્ય જડીબુટ્ટીઓ હોય છે જે તમારા શરીરને વિટામીન્સ અને મિનરલ્સ આપે છે. તેનાથી તમારી ક્રિયાશીલતા પણ વધે છે. જો તમારા વાળ સફેદ થઇ રહ્યા હોય તો ચ્યવનપ્રાશ ખાવુ તમારા માટે એક બહેતર ઉપાય છે. રોજ ચ્યવનપ્રાશ ખાવુ તમારા સફેદ વાળને કાળા કરવાની ક્ષમતા પણ રાખે છે. તેનાથી નખ પણ મજબુત બને છે.
જો તમે જુની ખાંસીથી પરેશાન હો તો ચ્યવનપ્રાશ જરુર ખાવ
ઠંડીમાં ખાંસી થવી સામાન્ય બાબત છે. જો તમે જુની ખાંસીથી પરેશાન હો તો ચ્યવનપ્રાશ જરુર ખાવ. તેનાથી તમને ખાંસીથી બિલકુલ રાહત મળશે. ચ્યવનપ્રાશ તમારુ હિમોગ્લોબિન લેવલ પણ વધારે છે. નાના બાળકોમાં થતી ઘણી સમસ્યાઓ માત્ર ચ્યવનપ્રાશ ખાવાથી દુર થઇ શકે છે. ઠંડીના કારણે પણ બાળકોમાં આરોગ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ રહે છે. ચ્યવનપ્રાશનું નિયમિત સેવન બાળકને અંદરથી મજબુત બનાવે છે. મહિલાઓ માટે પણ ચ્યવનપ્રાશ ખાવુ ખુબ સારું છે. જેને માસિક નિયમિત આવતુ નથી તેને નિયમિત ચ્યવનપ્રાશ ખાવાથી માસિક સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે.
બાળકો હોય કે મોટા, નિયમિત ચ્યવનપ્રાશ ખાવાથી મગજની સક્રિયતા વધે છે અને એકાગ્રતા પણ વધે છે. તેનાથી માનસિક તણાવમાં કમી આવે છે અને મગજ પણ સ્વસ્થ રહે છે. તે શરીરના આંતરિક અંગોની સફાઇ કરીને શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે. આ ઉપરાંત તે બ્લડપ્રેશરને પણ કન્ટ્રોલમાં રાખે છે.