વ્યક્તિની મહેનત અને કિસ્મત જેટલી મહત્વની હોય છે તેટલું જ મહત્વનું તેના ધરનું વાસ્તુ હોય છે.
ઘર ખરીદતી વખતે આ વસ્તુનું રાખો ધ્યાન
વાસ્તુ દોષ વાળુ ઘર સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલી શકે છે
જાણો તેને દૂર કરવા શું કરશો?
જો કોઈ વ્યક્તિના ઘરનું લોકેશન અને વાસ્તુ બરાબર હોય તો કુંડલીમાં નબળા ગ્રહો પણ સારૂ ફળ આપે છે. નહીં તો વાસ્તુ દોષ વાળુ ઘર સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલી દે છે. લાલ કિતાબમાં ઘરને લઈને અમુક જરૂરી વાતો જણાવવામાં આવી છે. જેને ઘર ખરતા અથવા બનાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.
દક્ષિણમુખી ઘર લેવાથી બચો
ક્યારેય પણ દક્ષિણમુખી ઘર ન લેવું જોઈએ. એવું ઘર શુભ નથી માનવામાં આવતું. જો આવું ઘર લઈ લીધુ છે તો તેના મુખ્ય દ્વારને બદલીને ઉત્તર અથવા પૂર્વમાં કરી દો.
ઘરની પાસેની ગલી ન કરો બંધ
જો ઘરની આજુ બાજુ અથવા પાછળ ગલી પડતી હોય તો તેને હંમેશા ખુલ્લી રાખો. તેને ઝાડ લગાવીને અથવા કોઈ અન્ય રીતે બંધ કરો. એવું કરવાથી સંતાનની સફળતા રોકાઈ જાય છે. જો ગલી પહેલાથી જ બંધ છે તો તેને દર વર્ષે પાણીમાં 5 કિલો અડદની દાળ મિક્ષ કરીને વહાવી દો.
સીડી
ઘરના વાસ્તુના અનુસાર સીડીઓ યોગ્ય દિશામાં રાખવી જોઈએ. તેની નીચે કિચન અથવા બાથરૂમ ન બનાવો. સાથે જ સીડીના દરેક સ્ટેપ ઉંચાઈમાં એક જેવી હોવી જોઈએ અને તેમની સંખ્યા વિષમ હોવી જોઈએ.
શનિ, રાહુ-કેતુ દોષોમાંથી મુક્ત હોવું જોઈએ ઘર
ઘર પર શનિ, રાહુ, કેતુની ખરાબ અસર ન હોવી જોઈએ. એટલે કે ઘરની પાસે બબુલ, આંબો અને ખજૂરનું ઝાડ ન હોવું જોઈએ. ઘરની પાસે દારૂ, નોનવેજની દુકાન ન હોય. ઘર એકદમ સુનસાન વિસ્તારમાં ન હોય. ન ઘરની પાસે કેક્ટસ-બબૂલના ઝાડ હોય. બેસમેન્ટ વાળું ઘર પણ સારૂ નથી ગણવામાં આવતું.
સ્વચ્છ રાખો ટોયલેટ
હંમેશા ટોયલેટને સાફ રાખો, નહીં તો રાહુનો પ્રકોપ સહન કરવાનો વારો આવી શકે છે.