બિઝી લાઈફસ્ટાઈલ, ખોટી ફૂ઼ડ હેબિટ્સ અને સ્ટ્રેસને કારણે આજકાલ બધાંમાં ડાઈજેશનની પ્રોબ્લેમ જોવા મળે છે. પણ આ સમસ્યાથી બચવા માટે બેસ્ટ ઉપાય ઉપલબ્ધ છે. ચાલો જાણીએ.
પાચનતંત્ર અંગેની નાની-મોટી તકલીફોનો દરેક વ્યક્તિને થાય છે
આ કારણોથી બગડે છે પાચન
સરળ ઉપાયો દ્વારા પાચનને બનાવો મજબૂત
સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે. તેમ છતાં ત્રણ દિવસ સુધી પેટ સાફ ન આવે તો તે વ્યક્તિને કબજિયાત છે એમ કહેવાય અથવા તો બળ કર્યા પછી મળ પસાર થાય કે પેટ સાફ ન થયા જેવું લાગે તેને પણ કબજિયાતની સ્થિતિ કહેવામાં આવે છે.
કબજીયાત થવાના કારણો
ભોજનમાં ફાયબરનો અભાવ
શરીરમાં પાણીની ઉણપ
ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ન કરવી
કેટલીક દવાઓનું સેવન કરવું
મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર
થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું
કેલ્શિયમ અને પોટેશિયમની અછત
ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ
ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી
યોગ્ય સમયે ભોજન ન લેવાથી
અસરકારક નુસખાઓ
રોજ બપોરે અને રાતે જમ્યા બાદ થોડો ગોળ ખાઈ લેવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે અને ખોરાક સરળતાથી પચે છે.
પપૈયા, દ્રાક્ષ, અંજીર અને ઓરેન્જ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ સવારે 4-5 રાતે પાણીમાં પલાળેલાં અંજીર ખાવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.
કેટલાક લોકોને લેક્ટોસ ઈનટોલરેન્સની સમસ્યા પેદા થાય છે. આ એક એવી સ્થિતિ હોય છે જેમાં વ્યક્તિને દૂધ કે દૂધમાંથી બનેલા ખાદ્ય પદાર્થોથી એલર્જી થાય છે. જેના કારણે ડાયરિયા કે કબજિયાતની સ્થિતિ પેદા થાય છે.
કબજિયાત અને પાચનના રોગોથી બચવા માટે રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તેનાથી તમને ચોક્કસ ફાયદો થશે.
પાલકનું શાક અથવા પાલક, બીટ અને ગાજરનો જ્યુસ પીવાથી પણ પાચન દુરસ્ત રહે છે અને ફાઈબર મળી રહે છે. જેથી કબજિયાતની સમસ્યા થતી નથી.
રોજ રાતે 1 ગ્લાસ નવશેકા પાણી સાથે 1 નાની ચમચી ત્રિફલા ચૂર્ણ ખાઈ લેવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ હેલ્ધી રહે છે. ત્રિફલાના અનેક લાભ છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જેથી તમે રોજ ત્રિફલાનું સેવન કરી શકો છો. તે રોગો સામે રક્ષણ કરે છે.