લવિંગના ઉપાય ખૂબ જ પ્રભાવી હોય છે. આ સરળ ઉપાય ઘરની નકારાત્મકતાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મકતા, સુખ-સમૃદ્ધિ લાવે છે.
જાણો લવિંગના અસરકારક ઉપાય
બીમારીઓ થશે દૂર
આર્થિક તંગી પણ થશે દૂર
લવિંગનો ઉપયોગ ગરમ મસાલા અથવા માઉથ ફ્રેશનરની રીતે પણ લોકો કરતા હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તે ઉપરાંત સનાતન ધર્મમાં પૂજા-પાઠ અને ઘણા પ્રકારના ઉપાયો-ટોટકામાં પણ લોકો તેનો ઉપયોગ કરે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ખુબ ધન મળે છે.
લવિંગના અસરકારક ઉપાય
નકારાત્મકતા દૂર કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દરરોજ સવારે ઘરના મંદિરમાં ભગવાનની આરતી કરતા વખતે દિવામાં 2 લવિંગ નાખીને આરતી કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
બીમારીઓ દૂર કરવાના ઉપાય
જો ઘરનું કોઈ સદસ્ય વારંવાર બીમાર થઈ રહ્યું છે અથવા ઘરમાં મોટાભાગે ઝગડા થાય છે તો તવા પર 6-7 લવિંગ સળગાવી ઘરના કોઈ ખૂણામાં મુકી દો આ ઉપાય દર 2થી 4 દિવસમાં કરતા રહો. થોડા જ દિવસમાં ફરક જોવા મળી જશે.
આર્થિક તંગી દૂર કરવાના ઉપાય
ખૂબ મહેનત બાદ પણ આર્થિક સ્થિતિમાં સુધાર ન હોય તો 7 લવિંગ અને 7 કાળા મરીને તમારા માથા પરથી ફરાવી એવી જગ્યા પર ફેંકી દો જ્યાં કોઈ આવતુ જતુ ન હોય. આ લવિંગ કાળા મરીને ચારે દિશાઓમાં ફેંકો. ત્યાર બાદ પાછા ફરીને ન જુઓ. થોડા જ દિવસમાં આર્થિક સ્થિતિ બદલાઈ જશે.
બગડેલા કામ બની જશે
જો કોઈ કામ વારંવાર બગડી રહ્યું હોય તો 1 પાનના પત્તામાં લવિંગ, ઈલાયચી અને સોપારી લપેટીને ગણેશજીને અર્પિત કરો. આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થશે અને તમારા કામ થવા લાગશે.