અત્યારના બેઠાડું જીવનમાં અપચો, ઓવરઈટિંગ, ફેટી ફૂડ્સ, કેફીન, આલ્કોહોલ, ભારે ખોરાક અને સ્મોકિંગ જેવા કારણોથી મોટાભાગના લોકોને જમ્યા બાદ અથવા કંઈ ખાધાં બાદ ખાટાં ઓડકારની પ્રોબ્લેમ થતી હોય છે. ઘણાં લોકોને રાતે ઉંઘમાં પણ ખાટાં ઓડકાર આવે છે. જેને અવોઈડ કરવા કરતાં આ સમસ્યા વધે નહીં તે માટે કેટલાક ઘરેલૂ ઉપચાર અજમાવવા જોઈએ. તો ચાલો જાણીએ.
ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે પેટ સંબંધી સમસ્યાઓ
આ ઘરેલૂ ઉપાય તમારા પેટને રાખશે દુરસ્ત
ખાટાં ઓડકારની સમસ્યા માટે રામબાણ છે આ દેશી દવા
ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. તેના કારણે માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું. જેથી આ સમસ્યાઓ માટે ઘરેલૂ ઉપાયો જ બેસ્ટ છે.
આ ઉપાય કરી લો
ભોજન કરવાના એક કલાક પહેલાં આદુ અને મધની ચા બનાવીને પીવાથી ખાટાં ઓડકાર આવતા નથી.
એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને ચપટી બેકિંગ સોડા મિક્સ કરીને પીવો.
ખાટાં ઓડકારની પ્રોબ્લેમમાં પપૈયું ખાઓ. તેમાં પપાઈન નામનું એન્ઝાઈમ હોય છે. જે ઓડકારમાં રાહત આપે છે.
ભોજનની સાથે દહીં, છાશ કે લસ્સી પીવો. આનાથી ડાઈજેશન સારું રહેશે અને ખાટાં ઓડકાર આવશે નહીં.
ભોજન કર્યા બાદ થોડી વરિયાળી અને અજમો મિક્સ કરીને ખાઓ. ફાયદો મળશે.
એક કપ પાણીમાં 3-4 એલચી 10 મિનિટ ઉકાળો. નવશેકું રહે એટલે પી લો.
ભોજન કર્યા બાદ એક ચમચી શેકેલું જીરું ખાઓ. ખાટાં ઓડકારની પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય.
રોજ સવારે ખાલી પેટ લસણની કળી ગળીને એક ગ્લાસ પાણી પી લો. ફાયદો મળશે.
એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હીંગ મિક્સ કરી પીવો.
એક કપ પાણીમાં ફુદીનાના 6-7 પાન ઉકાળીને પીવો. ઓડકાર આવતાં બંધ થઈ જશે.
પાઈનેપલમાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સારું રાખે છે. રોજ પાઈનેપલ ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે અને ખાટાં ઓડકાર અને આફરો પણ મટે છે.
વધુ ખાઈ લેવાને કારણે ગેસની સમસ્યા થાય છે, જેમાં મેથી દાણાની સાથે સિંધવ મીઠું મિક્સ કરીને ખાવાથી તરત રાહત મળશે, ખાટાં ઓડકાર અને કબજિયાત માટે પણ આ રામબાણ ઉપાય છે
ગેસ થયો હોય તો આદુના કટકાને ધીરે-ધીરે ચાવીને તેનો રસ ચૂસવાથી 15 મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળે છે, નિયમિત પ્રયોગથી ગેસની તકલીફ દૂર રહે છે અને ખાટાં ઓડકારનો પ્રોબ્લેમ દૂર થાય છે.