અત્યારે બ્યુટીને વધારવા માટે લોકો ઘણાં ઉપાયો કરતાં હોય છે. પણ સ્કિનની સમસ્યાઓ દૂર કરવા માટે ચહેરા પર એવી વસ્તુઓ લગાવવી જોઈએ જે ઓછાં સમયમાં સરળતાથી તૈયાર થઈ શકે અને ઈફેક્ટિવ પણ હોય. બ્યુટી એક્સપર્ટ મુજબ એલોવેરા જેવી નેચરલ વસ્તુ લગાવવાથી સ્કિનનું પીએચ લેવલ બેલેન્સમાં રહે છે અને રંગ ગોરો થાય છે. જેથી અમે તમને સ્કિન માટે કેટલાક ઉપાય જણાવીશું.
એલોવેરાના અઢળક સ્વાસ્થ્ય લાભ છે
એલોવેરામાં ઘણાં પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે
સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે
એલોવેરાના ફાયદા
એલોવેરા જ્યૂસમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ વધારે છે. આ સિવાય સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે. રોજ 200-300 મિલી. એલોવેરા જ્યૂસ પીવું
સ્કિન માટેના ફાયદા
એલોવેરા જેલ ચહેરા પર લગાવો. સૂકાય ગયા બાદ ધોઈ લો. આમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. જેનાથી ડેડ સ્કિન દૂર થાય છે અને રંગ ગોરો થાય છે.
નારિયેળ પાણીને કોટનની મદદથી ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો. આનાથી સ્કિનનું મોઈશ્ચર જળવાય છે. તેમાં રહેલી એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટીઝ ડેડ સ્કિન દૂર કરે છે અને ફેરનેસ વધારે છે.
લીંબુના રસમાં ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાવો. સૂકાયા બાદ ધોઈ લો. આનાથી રંગ જલ્દી ગોરો થાય છે. તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ રિંકલ્સથી પણ બચાવે છે.
ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો.
ઓઈલી સ્કિનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઓઈલી ત્વચામાં વધારે સમસ્યાઓ થાય છે. એલોવેરા જેલમાં મધ મિક્ષ કરીને તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ લગાવી ધોઈ લેવું. આનાથી ચહેરા પરનું વધારાનું ઓઈલ દૂર થશે અને ત્વચા સાફ અને ચમકદાર બનશે.
સાવધાની
માર્કેટમાં મળતા એલોવેરા જેલમાં ભેળસેળ હોઈ શકે છે. જેથી તાજો એલોવેરા જેલ કાઢીને તેનો ઉપયોગ કરવો.
લાંબા સમય સુધી રાખી મૂકેલા નારિયેળ પાણીનો ઉપયોગ ન કરવો. તેનાથી આડઅસર થઈ શકે છે.
લીંબુના રસને ડાઈલ્યૂટ કર્યા વિના લગાવવું નહીં. નહીંતર પિંપલ્સ અને રેશિસ થઈ શકે છે.