ગત રોજ રામનવમીની શોભાયાત્રા દરમ્યાન વડોદરામાં થયેલ પથ્થર મારા મામલે પોલીસે 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતી કોર્ટે 5 આરોપીઓનાં 2 તારીખ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો મામલો
23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ હિયરીંગ શરૂ
પોલીસ દ્વારા આરોપીઓના કુલ 5 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગ
નામદાર કોર્ટ દ્વારા 23 પૈકી 5 આરોપીઓના રિમાન્ડ કરાયા મંજૂર
5 આરોપીઓના 2 તારીખ 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર
વડોદરામાં ગત રોજ શોભાયાત્રા દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા લોકોની શોધખોળ કરી તેઓની ધરપકડ કરી હતી. ત્યારે ઝડપાયેલ 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યારે 5 આરોપીઓનાં 2 એપ્રિલ સુધીનાં 12 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 18 આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે 18 આરોપીઓના રિમાન્ડની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.
વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા. વાત જાણે એમ છે કે, ગઈકાલે રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું છે. જેમાં પોલીસે 20 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા છે.
અડધીરાત્રે ભારે કાફલા સાથે ઉતરી પોલીસ
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી 20 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસે UP સ્ટાઈલમાં કરી કાર્યવાહી
વડોદરા પોલીસે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર ઇસમોને શોધી લેવા કવાયત શરૂ કરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. આ સાથે પોલીસે UP સ્ટાઈલમાં JCB મશીનો સાથે રાખી કામગીરી કરી હતી. આ સાથે તોફાની તત્વોને તંત્રએ ચેતવણી આપતા કહ્યું કે, "હવે તોફાનો કર્યા તો ખેર નથી".
શું હતો સમગ્ર મામલો ?
દેશભરમાં ગઈકાલે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી.