પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનું પોતાનું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પૂજા સામગ્રીનો ઉપયોગથી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે. આવો જાણીએ તેના વિશે.
પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકો નહીં
બનશો પાપમાં ભાગીદાર
આ રીતે કરો તેનો ઉપયોગ
હિંદૂ ધર્મમાં પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. પૂજામાં કંકુ, અક્ષત, ફળ, ફૂલ, નારિયેળ અથવા લવિંગનું પોતાનું અલગ મહત્વ છે. આ પૂજા સામગ્રી વગર કોઈ પણ પૂજા-પાઠ કે હવન અધુરૂ માનવામાં આવે છે.
મોટાભાગે પૂજા બાદ થોડી સામગ્રી વધે છે. સામાન્ય રીતે લોકો વધેલી પૂજા સામગ્રી કે મંદિરમાં મુકે છે અથવા જળમાં પ્રવાહિત કરી દે છે. જ્યોતિષો અનુસાર વધેલી સામગ્રીનો ઉપયોગ જીવનમાં સુખ-સમુદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે.
વધેલી પૂજા સામગ્રીનો આ રીતે કરો ઉપયોગ
આ પૂજા પાઠમાં કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂજા બાદ કંકુ વધે તો તેને ઘરની સુહાગન મહિલાઓ તેને પોતાના માંગમાં લગાવી શકે છે. એવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી રહ્યા છો તો તેનું પૂજન પણ બચેલા કંકુથી કરવું શુભ માનવામાં આવે છે.
પૂજા બાદ જો ફૂલ વધે તો તેને આમ તેમ ન ફેંકો. આ અશુભ માનવામાં આવે છે. પૂજાના બચેલા ફૂલોને એક માળામાં પીરોવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. જ્યારે આ ફૂલ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને પોતાના ઘરમાં કોઈ કુંડામાં મુકી દો. તેનાથી નવા છોડ ઉગી શકશે.
પૂજાની થાળીમાં જો ચોખા વધે તો તેને ઘરમાં રોજ ઉપયોગમાં લેવાતા ઘઉં કે ચોખામાં મિક્ષ કરી દો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં બરકત બની રહે છે.
પૂજા પાઠમાં સોપારીનું ખૂબ મહત્વ હોય છે. પૂજા વખતે મોટાભાગે પાનના પત્તા અથવા સોપારી રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા પુરૂ થયા બાદ આ સુપારીને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય.