ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપાઇનું 94 વર્ષે નિધન થતાં દેશ શોકમગ્ન થયો હતો. ત્યારે આજે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા દેશ-વિદેશના કેટલાક દિગ્ગજ નેતાઓ અને સંતો-મહંતોએ શબ્દો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરીને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાઇને યાદ કર્યા હતા. ત્યારે ભારતના કેટલાક આધ્યાત્મિક ગુરૂઓએ પણ વાજપાઇને શ્રધ્ધાજલિ અર્પી હતી.
જ્યારે હું શંકરાચાર્ય નહોતો અને વાજપાઇજી વડાપ્રધાન હતા ત્યારે તેમણે વૃંદાવન ધામમાં પંચદર્શી નામના વેદાંત ધર્મગ્રંથ પર એક સાર્વજનિક સભામાં લગભગ 30 મીનીટ સુધી મારું પ્રવચન પ્રવચન સાંભળેલ.
જ્યારે હું માન્ય શંકરાચાર્યના પદ પર પ્રતિષ્ઠિત થયો અને તેઓ કાળાતંરે માન્ય વડાપ્રધાન પદે આરુઢ થયા ત્યારે તેમણે શત્રુઘ્ન સિન્હાને શ્રી રામ જન્મભૂમિના સંદર્ભમાં મારો દ્રષ્ટિકોણ જાણવા માટે એક પ્રતિનિધી તરીકે મોકલ્યા હતા. આ ઘટના બાદ તેમણે રામભદ્રાચાર્યને એક સંદેશો લઇને મારી પાસે મોકલ્યા હતા. તેમના દેહત્યાગ બાદ સત્તા લોલૂપતા અને અદુરદર્શિતાની ઝપટથી ભારતની રાજનીતિને દૂર રાખનારને શ્રધ્ધાંજલિ...નારાયણ..
એક મહાન સાસંદ અને ભારતમાતાની તરફ ભારતના પ્રજાતંત્રની સેવામાં પોતાનું જીવન ખપાવનાર ભારત રત્નની વિદાય એક કવિ એક અદભૂત વક્તા અને કરિશ્માઇ ધરાવતું વ્યક્તિત્વને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. -રમેશભાઇ ઓઝા આધ્યાત્મિક ગુરૂ
વિરાટ વિશ્વ માનવ અટલજી અટલ હતા અજેય હતા. એક એવા અજાતશત્રુ જેમણે તમામની સાથે સેતુ બનાવ્યો અને આજે અટલજી અચળ યાત્રા પર કાયમને માટે નિકળી પડ્યા. તેમને ભાવાંજલિ શ્રધ્ધાંજલિ.
અટલજી ખૂબ ઉદાર રાષ્ટ્રીય નેતા હતા જેમણે તમામ રાજકીય વિચારધારાના લોકો માટે આદર મેળવ્યો. હું તેમને છેલ્લા થોડા વર્ષોમાં અનેક વખત મળ્યો. તેઓ દરેક રાજકારણી માટે એક અનુકરણીય આદર્શ છે.
- શ્રી શ્રી રવિ શંકર
વાજપાઇજી એક કાળજયી અજાતશત્રુ દુર દ્રષ્ટા સર્વ સમાવેશી અપ્રિતમ પ્રધાનમંત્રી હતા. મેં તેમને યોગ શિખવાડ્યો અને તેમણે પણ મને ઘણું શિખવાડ્યું. તેમનું મહાપ્રયાણ એક યુગના અંત જેવું છે.
- બાબા રામદેવ