દેશભરમાં 75 દિવસ બાદ ભગવાનના દ્વાર ખુલ્યા છે. ગુજરાતમાં કેટલાક મંદિરો આજે ખુલ્યા છે. સોમનાથ, દ્વારકાધીશ, ચોટીલા, શામળાજી, ઉમિયા મંદિર આજથી ખુલી ગયું છે. તો સોમનાથ મંદિર બહાર હાલ જિલ્લા બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.12 જૂન બાદ સોમનાથ મંદિરમાં જિલ્લા બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવુ પડશે. જ્યારે અંબાજી મંદિર આજે નહીં પરંતુ 12 જૂને ખુલશે. ડાકોર મંદિર ખોલવાનો પણ હજુ નિર્ણય લેવાયો નથી. સાળંગપુર મંદિર પણ 17 જૂને ખોલવામાં આવશે.અને જલારામ મંદિર પણ 15 જૂને ખોલવામાં આવશે.
તો રાજ્યના અન્ય નાના મંદિરો આજથી ખુલ્યા છે. તમામ મંદિરો પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી ઉમરના લોકો અને નાના બાળકોને મંદિર ન જવા સૂચના અપાઇ છે. તો મંદિરોમાં આરતીનો લાભ ભક્તો લઇ શકશે નહીં. તેમજ મંદિરોમાં જળઆચમનના છંટકાવ પર પ્રતિબંધ છે. આજથી મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શન કરી શકશે.