UNLOCK 1 / ગુજરાતમાં 75 દિવસ બાદ ભક્તો માટે ભગવાનના દ્વાર ખુલ્યા, લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા

દેશભરમાં 75 દિવસ બાદ ભગવાનના દ્વાર ખુલ્યા છે. ગુજરાતમાં કેટલાક મંદિરો આજે ખુલ્યા છે. સોમનાથ, દ્વારકાધીશ, ચોટીલા, શામળાજી, ઉમિયા મંદિર આજથી ખુલી ગયું છે. તો સોમનાથ મંદિર બહાર હાલ જિલ્લા બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.12 જૂન બાદ સોમનાથ મંદિરમાં જિલ્લા બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવુ પડશે. જ્યારે અંબાજી મંદિર આજે નહીં પરંતુ 12 જૂને ખુલશે. ડાકોર મંદિર ખોલવાનો પણ હજુ નિર્ણય લેવાયો નથી. સાળંગપુર મંદિર પણ 17 જૂને ખોલવામાં આવશે.અને જલારામ મંદિર પણ 15 જૂને ખોલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ