85 દિવસ બાદ જલારામબાપાના ભક્તોને પ્રસાદનો લાભ મળશે, 14 જૂનથી બાપાના દર્શન ખોલવામાં આવ્યા હતાં અને હવે અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવશે
વીરપુરમાં ભકતોમાં છવાયો આનંદ
જલારામ બાપા ભક્તોને પ્રસાદનો મળશે લાભ
85 દિવસ બાદ પ્રસાદ મળશે
રાજકોટ જિલ્લાના વીરપુરમાં જલારામ બાપાના ભકતોમાં આનંદ છવાયો છે. 85 દિવસ બાદ જલારામબાપાના ભક્તોને પ્રસાદનો લાભ મળશે. 14 જૂનથી બાપાના દર્શન ખોલવામાં આવ્યા હતાં. અને હવે અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવશે. હવે પ્રસાદનો લાભ મળશે. વીરપુરમાં જલારામ બાપાનું અન્નક્ષેત્ર શરૂ થશે. ધર્મશાળાની જગ્યામાં ભાવિકો માટે અન્નક્ષેત્ર શરૂ થશે. સવારે 10થી 1 અને સાંજે સાડા છથી 7, 8 વાગ્યા સુધી ભાવિકો પ્રસાદ લઈ શકશે.
જૂનાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. તેવામાં દોઢ વર્ષ બાદ કોરોના ધીમો પડતા જ લોકો ગીરનારનો પ્રવાસ કરવા માટે ઉમટી પડ્યા છે. ખાસ કરીને રોપ-વે શરૂ થયા બાદ પ્રવાસીઓનું જૂનાગઢ તરફ આકર્ષણ વધ્યું છે. માઁ અંબાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તેમાં પણ રોપવે દ્વારા ગીરનાર ચડવા માટે તો લોકોની લાઈનો લાગી છે. 2 થી 3 કલાકના વેઈટિંગ લાગ્યા છે.
ચોમાસાની ઋતુ હોવાથી ગિરનારની પર્વત માળાઓ સોળેકળાએ ખીલી ઉઠી છે. ગીરનાર પરથી ઝરણાઓ વહી રહ્યા છે.. તેવામાં આ લીલીછમ હરિયાળીનો લહાવો રોપવેમાંથી માણવા મળે. તો કોણ આ સમયને હાથમાંથી જવા દે. લોકો પણ એવી રીતે ઉટ્યા છે. જાણે માંડ દોઢ વર્ષ પછી.. કેદમાંથી છૂટ્યા હોય.. ફરવા માટે આવેલા લોકોમાં કેવી ખુશી છે.